અંકલેશ્વર: તસ્કરોએ ધારાશાસ્ત્રીના મકાનને બનાવ્યું નિશાન,રૂ.1.90 લાખના માલમત્તાની ચોરી

તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ રોકડા ૭૦ હજાર તેમજ સોનાના ઘરેણા મળી કુલ ૧.૯૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા

New Update

અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ

તુલસી વિલા રેસી.માં તસ્કરો ત્રાટકયા

ધારાશાસ્ત્રીના બંધ મકાનને બનાવ્યું નિશાન

રૂ. 1.90 લાખમાં માલમત્તાની ચોરી

બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના અંદાડા ગામની તુલસી વિલા રેસીડેન્સીમાં તસ્કરોએ વકીલના મકાનને નિશાન બનાવી રોકડા અને સોનાના ઘરેણા મળી કુલ ૧.૯૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા 
અંકલેશ્વરના અંદાડા ગામની તુલસી વિલા રેસીડેન્સીમાં રહેતી લતાબેન મોહિતકુમાર પરમાર ભરૂચ કોર્ટમાં પ્રેકટીસ કરે છે.જેઓ ગત તારીખ-૧૦મી ઓક્ટોબરના રોજ સાસુની તબિયત સારી ન હોવાથી પોતાના મકાનનું તાળું મારી ભરૂચ આવ્યા હતા.જેઓ ભરૂચ ખાતે રોકાયા હતા.તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.
તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ રોકડા ૭૦ હજાર તેમજ સોનાના ઘરેણા મળી કુલ ૧.૯૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તસ્કરોએ ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
#Connect Gujarat #તસ્કરોનો તરખાટ #Ankleshwar police #Ankleshwar News #અંકલેશ્વર ચોરી #ચોરી #તસ્કરો
Here are a few more articles:
Read the Next Article