ભરૂચ- અંકલેશ્વરમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ, નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

ભરૂચ અને અંકલેશ્વરમાં ભર ઉનાળામાં છેલ્લા ત્રણ દિવસથી ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.ત્રીજા દિવસે પણ વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો.

New Update
  • ભરૂચમાં ભરઉનાળે ચોમાસુ

  • સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ

  • નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા

  • વહેલી સવારથી જ વરસાદ

  • ખેડૂતો ચિંતામાં મુકાયા

Advertisment
ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા તો બીજી તરફ ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે

ભરૂચ શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી પરંતુ ચોમાસાની જેમ જ વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા હતા.ભરૂચ કલેકટર કચેરી નજીક આવેલ ગરનાળામાં તેમજ શક્તિનાથ નજીક આવેલ સરદાર શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

ભરૂચ જિલ્લામાં સવારના સમયે વરસેલ વરસાદના તાલુકા આંકડા પર નજર કરીએ તો આમોદમાં 7 મીલીમીટર, અંકલેશ્વરમાં 4 મિલિમિટર, હાંસોટમાં 1 મિલીમીટર, નેત્રંગમાં 1 મિલીમીટર, ઝઘડિયામાં 4 મિલિમિટર, જંબુસરમાં 14 મીલીમીટર વાગરામાં 20 મિલિમિટર અને ભરૂચમાં 20 મિલિમિટર વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે.
તો આ તરફ અંકલેશ્વરમાં પણ વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી થઈ હતી જેના પગલે ઠેર ઠેર વૃક્ષો ધરાશાઇ થવાની ઘટના બની હતી.અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ  નજીક ચાલુ કાર પર વૃક્ષ ધરાશાય થઈ ગયુ હતું જેમાં કારચાલકનો આબાદ બચાવ થયો હતો. તંત્ર દ્વારા વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.
Advertisment
Latest Stories