ભરૂચની કર્મભૂમિ બનાવનાર રાજસ્થાની પરિવારો દ્વારા હોળીના પર્વની પરંપરાગત રીતે ઉજવણી

ભરૂચમાં વસતા રાજસ્થાની સમાજ દ્વારા પરંપરાગત રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ફાગણી નૃત્ય સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં રાજસ્થાની પરિવારના સભ્યો જોડાયા હતા.

New Update
  • ભરૂચમાં હોળીના પર્વની કરાય ઉજવણી

  • રાજસ્થાની પરિવારો દ્વારા ઉજવણી કરાય

  • પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી

  • પરંપરાગત ઘેર ઉત્સવની રમઝટ જોવા મળી

  • મોટી સંખ્યામાં રાજસ્થાની પરિવારના સભ્યો જોડાયા

ભરૂચમાં વસતા રાજસ્થાની સમાજ દ્વારા પરંપરાગત રીતે હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ફાગણી નૃત્ય સહિતના કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં રાજસ્થાની પરિવારના સભ્યો જોડાયા હતા.

વર્ષો પહેલાં રોજી રોટી માટે આવીને ભરૂચને કર્મભૂમિ બનાવી ભરૂચ-અંકલેશ્વરમાં વસવાટ કરતા રાજસ્થાની સમાજના લોકો દ્વારા હોળીના તહેવારની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે. આજે પણ ભરૂચમાં વસવાટ કરતાં  રાજસ્થાની પરિવારો એક સાથે ભેગા થઈને ફાગોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરી રહ્યાં છે જેના ભાગરૂપે ભરૂચ જીઆઈડીસીમાં ફાગઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજસ્થાની પરિવારોની હોળી ઉત્સવમાં પરંપરાગત ઘેર નૃત્યની રમઝટ જોવા મળી રહી છે. પુરૂષ પગમાં ઘૂંઘરૂં, માથા પર, સાફો, ધોતી-કુર્તા, ડફલી, વાંસળી સાથે રાજસ્થાની ફાગણ ધમાલ નૃત્ય કરી હોળીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે. હોળીના પર્વની ઉજવણીના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજસ્થાની પરિવારના સભ્યો જોડાયા હતા અને રાજસ્થાની સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.

Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.