અંકલેશ્વર-વાલિયા સ્ટેટ હાઇવેનું સમારકામ શરૂ, વાહનચાલકોને મળશે રાહત

અંકલેશ્વરથી વાલીયાને જોડતા માર્ગ પર મોટા ખાડા પડી ગયા હતા જેના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે હવે બિસ્માર માર્ગોનું સમારકામ પૂર્ણ કરી દેવા સૂચના આપવામાં આવી છે.

New Update

ભરૂચમાં ચોમાસામાં માર્ગોની બિસ્માર હાલત

માર્ગો બિસ્માર બનતા વાહનચાલકોને હાલાકી

તંત્ર દ્વારા માર્ગના સમારકામની કામગીરી હાથ ધરાય

અંકલેશ્વર- વાલિયાને જોડતા સ્ટેટ હાઇવેનું સમારકામ

વાહનચાલકોને મળશે રાહત

અંકલેશ્વરથી વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર માર્ગ પર પડેલા ખાડા પૂરવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે જેના કારણે વાહનચાલકોને રાહત મળવાની સંભાવના છે..

ચોમાસામાં વરસેલ ભારે વરસાદના પગલે ભરૂચ જિલ્લાના વિવિધ માર્ગો બિસ્માર બન્યા હતા.જેના કારણે વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે વરસાદ બંધ થતાં હવે સમગ્ર જિલ્લાના વિવિધ માર્ગો પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરથી વાલિયાને જોડતા મહત્વના સ્ટેટ હાઇવે પર પેચવર્કની કામગીરી હાથ ધરાઈ હતી.

અંકલેશ્વરથી વાલીયાને જોડતા માર્ગ પર મોટા ખાડા પડી ગયા હતા જેના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે હવે માર્ગ પર પડેલ ખાડાઓનું સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ભરૂચ કલેકટર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં  ગતરોજ માર્ગના સમારકામ અંગે રીવ્યુ બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે દિવાળી પૂર્વે તમામ બિસ્માર માર્ગોનું સમારકામ પૂર્ણ કરી દેવા સૂચના આપવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નિવેદન, ભાજપ કોઈ પણ કૌભાંડીઓને છોડતી નથી

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.

New Update

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ

ભરૂચમાં ભાજપ દ્વારા કરાયુ આયોજન

પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ

સાંસદ હેમાંગ જોશીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

વિવિધ પ્રશ્ને આપ્યા જવાબ

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.
નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ પ્રેસ કોન્ફન્સ સંબોધી હતી.પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી.આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ ડૉ. હેમાંગ જોશીને પ્રશ્ન કરાતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડીઓ બચાવતી નથી અને આવનારા સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે  સખત  પગલાં લેવાશે.
આ તરફ તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ ઉપર સહયોગ ન મળવા બાબતે કરાયેલા નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો. જેના જવાબમાં ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, "મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે. તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે કહી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં ભરૂચ ભાજપના પ્રભારી જનક બગદાણાવાળા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.