અંકલેશ્વર-વાલિયા સ્ટેટ હાઇવેનું સમારકામ શરૂ, વાહનચાલકોને મળશે રાહત

અંકલેશ્વરથી વાલીયાને જોડતા માર્ગ પર મોટા ખાડા પડી ગયા હતા જેના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે હવે બિસ્માર માર્ગોનું સમારકામ પૂર્ણ કરી દેવા સૂચના આપવામાં આવી છે.

New Update

ભરૂચમાં ચોમાસામાં માર્ગોની બિસ્માર હાલત

Advertisment

માર્ગો બિસ્માર બનતા વાહનચાલકોને હાલાકી

તંત્ર દ્વારા માર્ગના સમારકામની કામગીરી હાથ ધરાય

અંકલેશ્વર- વાલિયાને જોડતા સ્ટેટ હાઇવેનું સમારકામ

વાહનચાલકોને મળશે રાહત

અંકલેશ્વરથી વાલીયાને જોડતા સ્ટેટ હાઇવે પર માર્ગ પર પડેલા ખાડા પૂરવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે જેના કારણે વાહનચાલકોને રાહત મળવાની સંભાવના છે..

ચોમાસામાં વરસેલ ભારે વરસાદના પગલે ભરૂચ જિલ્લાના વિવિધ માર્ગો બિસ્માર બન્યા હતા.જેના કારણે વાહનચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે વરસાદ બંધ થતાં હવે સમગ્ર જિલ્લાના વિવિધ માર્ગો પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરથી વાલિયાને જોડતા મહત્વના સ્ટેટ હાઇવે પર પેચવર્કની કામગીરી હાથ ધરાઈ હતી.

Advertisment

અંકલેશ્વરથી વાલીયાને જોડતા માર્ગ પર મોટા ખાડા પડી ગયા હતા જેના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે હવે માર્ગ પર પડેલ ખાડાઓનું સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ભરૂચ કલેકટર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં  ગતરોજ માર્ગના સમારકામ અંગે રીવ્યુ બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે દિવાળી પૂર્વે તમામ બિસ્માર માર્ગોનું સમારકામ પૂર્ણ કરી દેવા સૂચના આપવામાં આવી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: ભોલાવ વિસ્તારમાં તિરંગા યાત્રા નીકળી, 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે

New Update
Bharuch Tiranga Yatra
  • ભરૂચના ભોલાવ વિસ્તારમાં આયોજન

  • તિરંગા યાત્રાનું આયોજન કરાયું

  • સેનાના સાહસને બિરદાવાયુ

  • 1200 ફૂટ લાંબો તિરંગો આકર્ષણનું કેન્દ્ર

  • મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

Advertisment
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1200 ફૂટના તિરંગા સાથે મોટી સંખ્યામાં શહેરીજોનો જોડાયા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા ઘાતકી આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ દેખાડેલા અસાધારણ શૌર્ય અને બલિદાનની યાદમાં સમગ્ર દેશભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ભોલાવ વિસ્તારમાં આજે  વિશાળ તિરંગા યાત્રા યોજાઈ હતી.
Tiranga yatra
ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી,માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ, નિરલ પટેલ, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાય હતી.
જેમાં 1200 ફૂટ લાંબા ભવ્ય તિરંગા સાથે શહેરીજનો તથા વિવિધ સમાજો અને સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. યાત્રાની શરૂઆત તુલસીધામથી થઈ હતી અને ત્યાંથી સોમનાથ મહાદેવ મંદિર સુધી દેશભક્તિની ધ્વનિ ગુંજતી રહી હતી.
Advertisment