ભરૂચ : નારાયણ અરેના સોસાયટીમાં સ્માર્ટ મીટર સામે રહેવાસીઓનો રોષ,મહિલાઓએ થાળી વગાડીને કર્યો વિરોધ

ગુજરાતભરમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે, જોકે સ્માર્ટ મીટરનો  ઠેર ઠેર લોકો વિરોધ કરી રહ્યા છે..

New Update
  • ભરૂચમાં સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ

  • નારાયણ અરેના સોસા.ના લોકોએ કર્યો વિરોધ

  • સોસાયટીના રહીશોએ વીજ કંપની સામે વ્યક્ત કર્યો રોષ

  • મહિલાઓએ થાળી વેલણ વગાડીને સ્માર્ટ મીટરનો કર્યો વિરોધ

  • સ્માર્ટ મીટર લગાવવા વીજ કંપની ન કરે દબાણની ઉઠી માંગ

ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક આવેલી નારાયણ અરેના સોસાયટીમાં રહેવાસીઓએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આશરે 300 મકાન માલિકોએ સ્માર્ટ મીટરની જરૂર ન હોવાનું આક્રોશપૂર્વક જણાવીને વીજ કંપનીના કર્મચારીઓ બળજબરી થી મીટર બદલવા આવી રહ્યા હોવાનો રોષ ઠાલવ્યો હતો.

ગુજરાતભરમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે,જોકે સ્માર્ટ મીટરનો  ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે.ત્યારે ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક આવેલી નારાયણ અરેના સોસાયટીમાં રહેવાસીઓએ સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી નો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

સોસાયટીના રહેવાસીઓનો આક્ષેપ છે કે છેલ્લા એક મહિનાથી દરરોજ વીજ કંપનીની ટીમ સોસાયટીના ગેટ પર આવીને જૂના મીટરો કાઢી નવા સ્માર્ટ મીટર લગાવાની ઝંઝટ કરે છે. મહિલાઓએ જણાવ્યું કે આ કારણે રોજ ઘરનું કામકાજ છોડી તેમને ગેટ પર જઈને વિરોધ કરવો પડે છે. આજે સવારે પણ વીજ કંપનીના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા આવ્યા ત્યારે સોસાયટીની મહિલાઓએ થાળીઓ વગાડી તેમનો વિરોધ નોંધાવ્યો હતો.

મહિલાઓએ જણાવ્યું કે જૂના મીટરો યોગ્ય રીતે કામ કરી રહ્યા છે ત્યારે નવા મીટરની જરૂરત નથી.રહેવાસીઓએ માંગ કરી છે કે વીજ કંપની તેમના વિરુદ્ધ દબાણ કરવાનું બંધ કરે અને તેમની સંમતિ વિના મીટર બદલવામાં નહીં આવે તે બાબત નિશ્ચિત કરવા માટે માંગ કરી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ભાજપ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં લોકો જોડાયા

અંકલેશ્વર ભાજપ દ્વારા  સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે શહેર અને ભડકોદ્રા ગામે  ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા આયોજન કરાયુ

  • તિરંગા યાત્રાનું આયોજન

  • શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રા નિકળી

  • મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

અંકલેશ્વર ભાજપ દ્વારા  સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે શહેર અને ભડકોદ્રા ગામે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે  ભડકોદરા ભાજપ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.શહેરના ચૌટાનાકા પાસે મેઘના આર્કેડ થી નીકળેલી ભવ્ય તિરંગા યાત્રામાં ભાજપના હોદ્દેદરો ,નગરપાલિકા ના સભ્યો સહીત ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં શહેરીજનો હાથમા તિરંગો લઇ જોડાયા હતા.આ તિરંગા યાત્રા ચૌટા બજાર થઇ જવાહર બાગ ખાતે પહોંચીને સમાપન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા ,નગરપાલિકાના પ્રમુખ લલીતા રાજપુરોહિત સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યાર બાદ અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ્ય વિસ્તારમાં નીકળેલ તિરંગા યાત્રામાં તાલુકા ભાજપ પ્રમુખ અને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપુત સહિતના મહાનુભાવો સહિત ગ્રામજનો જોડાયા હતા