શિવજીની શાહી સવારી... : અંકલેશ્વરમાં મહાશિવરાત્રિએ નંદી ઉપર સવાર થઈ નગરચર્યાએ નીકળશે શિવ પરિવાર...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવજીની શાહી સવારીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

New Update
  • સિદ્ધેશ્વર યુવા ગ્રુપ-ગડખોલ દ્વારા કરવામાં આવ્યું આયોજન

  • મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે કરાયું સુંદર આયોજન

  • મહાશિવરાત્રિ નિમિત્તે યોજાશે શિવ પરિવારની શોભાયાત્રા

  • નંદી ઉપર સવાર થઈ નગરચર્યાએ નીકળશે શિવ પરિવાર

  • વડોદરાના કલાકારોએ બનાવી શિવ પરિવાર અદ્ભુત પ્રતિમા

Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવજીની શાહી સવારીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આગામી તા. 26મી ફેબ્રુઆરી-2025ના રોજ મહાશિવરાત્રીનો પર્વ ખાસ બનવાની સાથે ભગવાન શિવના નામ પરથી જે નગરનું નામ પડ્યું છેતેવા અંકલેશ્વર શહેરમાં ભગવાન શિવ સહપરિવાર નગરચર્યામાં શિવજીની શાહી સવારી પર નીકળશે. અંકલેશ્વર ખાતે સતત ત્રીજી વખત અંકલેશ્વરના સિદ્ધેશ્વર યુવા ગ્રુપ (SYG) દ્વારા શિવજીની શાહી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાના ડભોઇ રોડ પર એક મૂર્તિકાર દ્વારા શિવ પરિવારની વિશાળ પ્રતિમા જેવી જ આબેહૂબ 2 પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. જે 14 ફૂટ પહોળી અને 11 ફૂટ ઉંચી નંદીની પ્રતિમા પર ભગવાન શિવમાતા પાર્વતીપુત્ર ગણેશ અને કાર્તિકેય સહિત નારદજી બિરાજમાન છે.

એટલું જ નહીં800 કિલો વજનથી વધુ આ પ્રતિમા સાથેની શાહી સવારી હશેત્યારે હાંસોટ રોડ પર આવેલ રામકુંડ મંદિર નજીક એશિયાડનગર પાસેના ભીડ ભંજન હનુમાનજી મંદિર ખાતેથી મહાશિવરાત્રિએ સાંજે 7 કલાકે શાહી સવારીનું પ્રસ્થાન કરવામાં આવશે. જે શહેરના 5 કિલોમીટરના રૂટ પર ફરી ગડખોલ પાટિયા નજીક સિદ્ધેશ્વરી સોસાયટી સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થશે. સિદ્ધેશ્વર યુવા ગ્રુપના અંકુર પટેલપાર્થ મહાજનમેહુલ મોદીવિનોદ પંડ્યા તેમજ SYG ગ્રુપના સભ્યોએ છેલ્લા એક મહિના ઉપરાંતથી મહાશિવારાત્રીના આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત સાથે અથાગ પ્રયત્નો હાથ ધર્યા છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: જંબુસના મગણાદ ગામના 10 દિવસથી ગુમ વ્યક્તિનું  કંકાલ મળી આવ્યું,પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ભરૂચના જંબુસર તાલુકાના મગણાદ ગામના રહેવાસી નરેન્દ્ર રામસિંહ રાજ નામના 10 દિવસથી ગુમ થયેલા વ્યક્તિનું કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

New Update
Screenshot_2025-05-31-10-00-11-72_92460851df6f172a4592fca41cc2d2e6

ભરૂચના જંબુસર તાલુકાના મગણાદ ગામના રહેવાસી નરેન્દ્ર રામસિંહ રાજ નામના 10 દિવસથી ગુમ થયેલા વ્યક્તિનું કંકાલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

Advertisment
કંકાલ જંબુસર નજીક આવેલા ઇન્ડિયન પેટ્રોલ પંપના પાછળના ભાગમાંથી મળી આવ્યો હતો. નરેન્દ્ર રામસિંહ રાજ છેલ્લા દસ દિવસથી ગુમ થયેલા હતા.
પરિવારજનો અને ગામલોકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ કોઈ ભાળ મળી નહતી.જે બાદ ગતરોજ ઇન્ડિયન પેટ્રોલ પંપના પાછળના વિસ્તારમાંથી દુર્ગંધ આવતી હોવાના સંકેત મળતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી જંબુસર પોલીસને ત્યાં કંકાલ મળી આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કંકાલને પોસ્ટમોર્ટમ માટે જંબુસર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડયો હતો.
પોલીસે મોતનું કારણ શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Advertisment
Advertisment