ભરૂચ : વાગરા પોસ્ટ ઓફિસમાં તસ્કરોએ કર્યો હાથફેરો, ચોરી અંગે પોલીસે તપાસ શરૂ કરી.

શિયાળાની શરૂઆત થતાંની સાથે જ જાણે તસ્કરોની સીઝન પણ શરૂ થઇ ગઈ હોય તેમ ભરૂચ જિલ્લાના વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો

author-image
By Connect Gujarat Desk
New Update
  • વાગરા પોસ્ટ ઓફિસની મુખ્ય કચેરીમાં ચોરી થતાં ચકચાર

  • બારીમાં બાકોરું પાડી તસ્કરોએ કર્યો પોસ્ટ ઓફિસમાં પ્રવેશ

  • પોસ્ટ ઓફિસમાં ચોરીની ઘટનાને અંજામ આપતા ચકચાર

  • બનાવના પગલે પોસ્ટ ઓફિસમના કર્મચારીઓ દોડી આવ્યા

  • રોકડ સહિતના મુદ્દામાલની ચોરી અંગે પોલીસ તપાસ શરૂ 

ભરૂચ જિલ્લાની વાગરા પોસ્ટ ઓફિસની બારીમાં બાકોરું પાડી તસ્કરોએ પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપતા ચકચાર મચી જવા પામી છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ જાણે તસ્કરોની સીઝન પણ શરૂ થઇ ગઈ હોય તેમ ભરૂચ જિલ્લાના વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.

તસ્કરોએ ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી દીવાલમાં લગાવેલ તિજોરીને ગેસ કટર વડે કાપી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. વાગરા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગત ગુરુવારના રોજ રાબેતા મુજબનું કચેરીનું કામ પૂર્ણ કરી ઓફિસ બંધ કરી જતા રહ્યા હતાત્યારબાદ દેવદિવાળીનો તહેવાર હોય જેને લઈ રજા હોવાથી કચેરી તસ્કરોના નિશાને ચઢી હતી. બનાવ બાદ પોસ્ટ માસ્ટર તાત્કાલિક પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.

જોકેતસ્કરોએ કેટલા રૂપિયા સહિતના મુદ્દામાલની ચોરી કરી છેતે અંગે સત્તાવાર કોઈ માહિતી સાંપડી નથીત્યારે હાલ તો પોલીસ દ્વારા ચોરી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

#તસ્કરોનો તરખાટ #Bharuch Police #Bharuch News #Vagra News #તસ્કરો #post office #Vagra Post Office #વાગરા પોસ્ટ ઓફિસ
Latest Stories
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલન...

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.