અંકલેશ્વર: કોસમડીની વ્રજભૂમિ સોસા.ના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન
અંકલેશ્વરના કોસમડી ગામની વ્રજભૂમિ સોસાયટીમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં રોકડા મળી કુલ 1.93 લાખથી વધુના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વરના કોસમડી ગામની વ્રજભૂમિ સોસાયટીમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં રોકડા મળી કુલ 1.93 લાખથી વધુના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા
અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિરસનો થાળ પીરસવામાં આવશે.
અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં સામાજિક કાર્યક્રમો માટે પ્રયત્નશીલ ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા દિપ કેમના વિનોદ જાગાણીના આર્થિક સહયોગથી આગામી તારીખ 1લી જૂન રવિવારે રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના મુંબઈના કવિઓ હિતેન આનંદપુરા,મુકેશ જોષી,સુરેશ ઝવેરી,જ્હોની શાહ,અર્ચના શાહ,તેમજ ભરૂચના કિરણ જોગીદાસ,હેમાંગ જોષી દ્વારા કવિરસનો થાળ પીરસવામાં આવશે.