અંકલેશ્વર: કોસમડીની વ્રજભૂમિ સોસા.ના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન

અંકલેશ્વરના કોસમડી ગામની વ્રજભૂમિ સોસાયટીમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં રોકડા મળી કુલ 1.93 લાખથી વધુના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા 

New Update

અંકલેશ્વરમાં તસ્કરો ત્રાટકયા

Advertisment

કોસમડીની વ્રજભૂમિ સોસા.નો બનાવ

બંધ મકાનમાં ચોરીનો બનાવ

રૂ.1.93 લાખના માલમત્તાની ચોરી

જીઆઇડીસી પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વરના કોસમડી ગામની વ્રજભૂમિ સોસાયટીમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં રોકડા મળી કુલ 1.93 લાખથી વધુના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા 
Advertisment
અંકલેશ્વરના કોસમડી ગામની સાંઇ વાટિકાની પાસે આવેલ વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા રાજેશ આત્મારામ માળીના માતા-પિતા ગત તારીખ-22મી સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે મરણ પ્રસંગે ગયા હતા જ્યારે રાજેશભાઈ મકાનના દરવાજાને તાળું મારી દહેજ ખાતે કંપનીમાં ગયા હતા.તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સોનાના ઘરેણાં અને રોકડા મળી કુલ 1.93 લાખથી વધુના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ચોરી અંગે અંકલેશ્વર જી.આ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર જીઆઇડીસી ખાતે ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા કવિ સંમેલન યોજાશે

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કવિરસનો થાળ પીરસવામાં આવશે.

New Update
gana music lover group

અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે તારીખ 1લી જૂન રવિવારના રોજ રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં સામાજિક કાર્યક્રમો માટે પ્રયત્નશીલ ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા દિપ કેમના વિનોદ જાગાણીના આર્થિક સહયોગથી આગામી તારીખ 1લી જૂન રવિવારે રાત્રે 8 કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisment

Kavi sammelan

આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના મુંબઈના કવિઓ હિતેન આનંદપુરા,મુકેશ જોષી,સુરેશ ઝવેરી,જ્હોની શાહ,અર્ચના શાહ,તેમજ ભરૂચના કિરણ જોગીદાસ,હેમાંગ જોષી દ્વારા કવિરસનો થાળ પીરસવામાં આવશે.

Advertisment