અંકલેશ્વર: GIDCના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસ બાબતે હાઉસિંગ એસોસિએશન દ્વારા નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી

New Update

અંકલેશ્વર હાઉસિંગ એશો.દ્વારા રજુઆત

રખડતા ઢોરના ત્રાસ મામલે રજુઆત કરાય

અકસ્માતના બનાવોમાં વધારો

ટ્રાફિકજામની પણ પરિસ્થિતિ

નોટીફાઈડ એરિયા ઓથો.માં રજુઆત કરાય

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસ બાબતે હાઉસિંગ એસોસિએશન દ્વારા નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં દિવસને દિવસે રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે.રખડતા ઢોરના કારણે અકસ્માતોના અનેક બનાવો બને છે. સાથે જ ટ્રાફિકજામની સમસ્યાનું પણ નિર્માણ થાય છે ત્યારે અંકલેશ્વર હાઉસિંગ એસોસિયેશનના સભ્યો અને મહિલાઓ દ્વારા અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી અને રહેણાંક વિસ્તારમાંથી રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માંગણી કરવામાં આવી હતી.
આ તરફ નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસર સી.કે.પટેલે બે દિવસમાં રસ્તે રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવામાં આવશે એવુ આશ્વાસન આપ્યું હતું.
રસ્તે રખડતા ઢોરને પકડી ઢોરના માલિકો સામે કાર્યવાહી કરવામાં આવશે.
Read the Next Article

અમદાવાદ દુર્ઘટનામાં ભરૂચના 3 મુસાફરો પ્લેનમાં સવાર હતા, કલેકટર ગૌરાંગ મકવાણાએ કરી પુષ્ટી

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે

New Update
  • અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના

  • લંડન જઈ રહ્યું હતું વિમાન

  • ભરૂચના 3 મુસાફરો પણ હતા સવાર

  • વહીવટી તંત્રએ કરી પુષ્ટી

  • જંબુસર- ભરૂચના 3 લોકોનો સમાવેશ

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે
અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી.અમદાવાદથી બપોરે 1. 38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા.ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જિલ્લાના 5 લોકો હોવાની પુષ્ટિ આપી હતી. આ તરફ ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં ભરૂચના 3 મુસાફરો હોવાની અને બે મુસાફરો સાંસરોદના હોવાની પુષ્ટિ કરી છે. ભરૂચનું તંત્ર આ મુસાફરોના પરિવારોનો સંપર્ક કરી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના 5 મુસાફરોના બહાર આવેલા નામોમાં જંબુસરના પટેલ સાહિલ , ભરૂચના પટેલ અલ્તાફ હુસેન, સાંસરોદના તાજુ હુસેના , તાજુ આદમ અને ભરૂચના સાજેદા મીસ્તર કાવીવાલાનો સમાવેશ થાય છે.પ્લેનમાં સવાર પૈકી પટેલ અલ્તાફહુસેન તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમ સાથે લંડન જઈ રહ્યા હતા. યુકે સ્થાયી થયેલ પરિવારના ત્રણ લોકો ઈદ મનાવી પરત જઈ રહ્યા હતા તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાય હતી.