અંકલેશ્વર-હાંસોટને જોડતા સ્ટેટ હાઇવેની બિસ્માર હાલત, અનેક વાહન ચાલકો પરેશાન...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટને જોડતા સ્ટેટ હાઈવેની હાલત બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે,

New Update
  • અંકલેશ્વર-હાંસોટને જોડતો સ્ટેટ હાઈવે બિસ્માર

  • બિસ્માર માર્ગના કારણે વાહન ચાલકોને હાલાકી

  • વાહનોમાં નુકશાન થવાનો પણ ચાલકોને અંદાજ

  • લોકોને અકસ્માત થવાનો સતાવી રહ્યો છે ભય

  • વહેલીતકે બિસ્માર માર્ગનું સમારકામ કરવા માંગ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટને જોડતા સ્ટેટ હાઈવેની હાલત બિસ્માર બનતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છેત્યારે વહેલી તકે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી હાંસોટને જોડતા સ્ટેટ હાઇવે પરથી હજારો વાહનોની સતત અવર જવર રહેતી હોય છે. તેવામાં ચોમાસા દરમ્યાન અહીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલ કડકિયા કોલેજ નજીક સ્ટેટ હાઇવે પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. રોડ પર અઢળક ખાડાના કારણે અવર જવર કરતા વાહન ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. એટલું જ નહીંવાહન ચાલકોને પોતાના વાહનોમાં નુકશાન તેમજ અકસ્માત થવાનો ભય પણ સતાવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કેભરૂચ જિલ્લામાં મોટા ભાગના રસ્તાઓની હાલત ચોમાસાના કારણે વધુ બિસ્માર બની છે. જેથી ખખડધજ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છેત્યારે વહેલી તકે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક 10 અને 35ને બંધ કરવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો, શાળા બંધ નથી કરી મર્જ કરી છે !

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના

New Update

ભરૂચમાં શાળા બંધ થવાનો મામલો

સ્ટેશન રોડ મિશ્ર શાળા 10-35 બંધ થવાના થયા હતા આક્ષેપ

શાળા બંધ થવા બાબતે શિક્ષણ વિભાગનો ખુલાસો

શાળાને બંધ નથી કરાય મર્જ કરવામાં આવી છે

સુવિધા યુક્ત શિક્ષણ આપવા પ્રયાસ છે

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા  85 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડી હોય આ બાબતે જિલ્લા શાસનાધિકારી  તરફથી ખુલાસો કરતા બંધ નહી પણ અન્ય  નજીકની શાળામાં  મર્જ કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું
ભરૂચના કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળીયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી આવી રહી હતી પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો  અને શાળા ખાતે દોડી આવેલ વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.આ બાબતે ઈન્ચાર્જ નગર પ્રાથમિક શાસનાધિકારી ભરત સલાટે  ખુલાસો કરતા જણાવ્યું હતું કે આ શાળા બંધ નથી કરી પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરીત મકાનને ધ્યાને લઈ નગર પ્રાથમિક સમિતિની 500 મીટરના જ  અંતરે આવેલ  દાંડિયા બજાર મિશ્ર શાળામાં મર્જ કરવામાં આવી છે જ્યાં સુવિધા યુક્ત બિલ્ડિંગ, અને વિષય પ્રમાણેના શિક્ષકો પણ છે જેથી ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહેશે.