અંકલેશ્વર- હાંસોટ પંથકમાં મુખ્ય માર્ગ પર જાણે સોનુ પથરાયું, ડાંગરનો પાક રોડ પર સૂકવવા ખેડૂતો મજબુર !

અંકલેશ્વર હાંસોટ પંથકમાં તાજેતરમાં નિર્માણ થયેલ મીની વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિના પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

New Update
  • કમોસમી વરસાદથી ખેતીમાં તબાહી

  • ડાંગરનો પાક પલળી જતા નુકશાન

  • ખેડૂતો મુખ્યમાર્ગ પર પાક સૂકવવા મજબુર

  • પલળેલા ડાંગરની ગુણવત્તા ઘટી

  • ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ

અંકલેશ્વર પંથકમાં રસ્તા પર જાણે સોનુ પાથર્યું હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તાજેતરમાં વરસેલ કમોસમી વરસાદમાં ડાંગરનો પાક પલળી જતા ખેડૂતોએ મુખ્ય માર્ગ પર પાકને સૂકવવાની નોબત આવી છે
અંકલેશ્વર હાંસોટ પંથકમાં તાજેતરમાં નિર્માણ થયેલ મીની વાવાઝોડા અને કમોસમી વરસાદની પરિસ્થિતિના પગલે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોએ મહેનત કરીને પકાવેલો પાક તેમના માટે સોના સ્વરૂપ છે. પરંતુ જ્યારે પાક લણવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું છે. કમોસમી વરસાદને લઇને ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરી ખેતરમાંથી બહાર કાઢી રહ્યા છે અને રોડ પર સૂકવી રહ્યા છે. હાંસોટના કુડાદરાથી પંડવાઈને જોડતા 7-8 કી.મી.ના માર્ગ પર  ઠેર ઠેર ખેડૂતો રોડ પર પાક સૂકવતા નજરે ચડી રહ્યા છે ત્યારે રસ્તા પર જાણે સોનું પથાર્યું હોય તેવા દ્રશ્યો
જોવા મળી રહ્યા છે.ડાંગર પલળી જતાં ડાંગરની ગુણવત્તા પણ ઘટી જતી હોય છે એટલે ખેડૂતોને ભાવ પણ પૂરતા નહીં મળે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે જેથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવશે ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે તેવી માગ થઈ રહી છે.
ગત વર્ષે પણ પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને ડાંગરના પાકમાં વ્યાપક નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. આ વર્ષે પણ ભર ઉનાળે કમોસમી વરસાદ વરસતા ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતોને આર્થિક રીતે બેઠા કરવા માટે સરકાર યોગ્ય સહાયની જાહેરાત કરે તેવી માંગ થઈ રહી છે
Read the Next Article

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નબીપુર નજીકથી કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું, રૂ.39 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક

New Update
css bh
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક ઉપર રીલીફ હોટલ નજીક ટેન્કર નંબર GJ 12 AZ 1612 માંથી ત્રણ ઇસમો ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના કારબામાં કંઇક પ્રવાહી કાઢી પીકઅપ ડાલામાં મુકે છે જે આધારે પોલીસે દરોડા પાડતા 3 આરોપીઓ કેમિકલની ચોરી કરતા રંગેહાથ ઝડપાય ગયા હતા. આરોપીઓ હજીરા અદાણી પોર્ટમાંથી સ્ટાયરીન (SM) કેમીકલ ભરી વડોદરા નંદેસરી જી.આઈ.ડી.સી.માં ખાલી કરવાં જતું હતું અને ડ્રાઈવર દ્વારા નંદેસરી પહોંચે તે પહેલા કેમીકલ માફીયાઓનો સંપર્ક કરી ટેન્કરનું સીલ તોડી, કેમિકલ ચોરી પ્લાસ્ટીકના કારબાઓ ભરી એક કારબો ૧૫૦૦/- માં વહેંચતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે  તુલસારામ જસારામ જાટ ઉ.વ.૪૫ રહેવાસી, ધને કી ધાની ગામ તા & થાના સીન્ધરી જિ.બલોતરા (રાજસ્થાન) (ટેન્કર ડ્રાઈવર), સત્તાર ઉર્ફે સમીર મલંગશા દિવાન ઉ.વ.૩૪ હાલ રહે.પાલેજ સાલેહ પાર્ક પ્લોટ નં.૧૨૨/૧૨૩ મહેરબાન ગુલામભાઇના મકાનમાં ભાડેથી તા.જિ.ભરૂચ મૂળ રહેવાસી.ઘર નં.૦૭ રાજાવાડી સૈયદપુરા સુરત શહેર, વસીમ સીરાજ દીવાન ઉ.વ.૧૯ રહેવાસી. માલપુર ગામ પટેલ ફળીયુ તા.શીનોર જિ.વડોદરાની ધરપકડ કરી રૂ.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.