ભરૂચ: અંકલેશ્વરમાં તંત્રએ માર્ગની કામગીરીમાં વેઠ ઉતારી હોવાના યુથ કોંગ્રેસના આક્ષેપ

આજુ બાજુની માટીને ખાડામાં પૂરીને  લાલી લિપસ્ટિક કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસના શરીફ કાનૂગાએ કામગીરી અટકાવી વિરોધ નોંધાવ્યો

New Update

અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ

માર્ગની તકલાદી કામગીરીના આક્ષેપ

દેખાવા પૂરતી કામગીરી હોવાના આક્ષેપ

આંદોલનની ઉચ્ચરવામાં આવી ચીમકી

માટી પુરી તકલાદી કામગીરી કરવામાં આવી હોવાના આક્ષેપ

અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ચર્ચ નાકા સુધીના બિસ્માર માર્ગ બંધ કરવાની યુથ કોંગ્રેસની ચીમકી બાદ તંત્ર દ્વારા તકલાદી કામગીરી શરુ કરતા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો.
અંકલેશ્વર-હાંસોટ યુથ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનૂગા દ્વારા અંકલેશ્વર રેલ્વે સ્ટેશનથી ચર્ચ નાકા સુધીના બિસ્માર માર્ગની કામગીરી શરુ નહિ કરવામાં આવે તો ૪૮ કલાકમાં માર્ગ બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી..
જે બાદ આજરોજ પાલિકા તંત્ર દ્વારા મટીરીયલના બદલે આજુ બાજુની માટીને ખાડામાં પૂરીને  લાલી લિપસ્ટિક કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસના શરીફ કાનૂગાએ કામગીરી અટકાવી વિરોધ નોંધાવ્યો હતો અને તંત્ર યોગ્ય રીતે કામગીરી નહિ કરવામાં તો ફરી ૪૮ કલાકમાં માર્ગ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.