અંકલેશ્વર: GIDCમાં આવેલ મનોરથ સોસાયટીના 2 મકાનના તાળા તૂટ્યા,લાખો રૂપિયાના માલમત્તાની ચોરીનો અંદાજ

મનોરથ સોસાયટીમાં મધરાતે તસ્કરોએ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી અંદાજિત 10થી 15 હજાર રોકડા અને સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા

author-image
By Connect Gujarat Desk
New Update

અંકલેશ્વર જીઆઇડીસીનો બનાવ

મનોરથ સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા

બે મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા

લાખોના માલમત્તાની ચોરીનો અંદાજ

પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ મનોરથ સોસાયટીના બે  મકાનને મધરાતે તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડા સહિતની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા 
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ મનોરથ સોસાયટીમાં રહેતા જયેશકુમાર સાપલિન તેઓના પરિવાર સાથે પોતાના ઘરે સૂઈ રહ્યા હતા તે દરમિયાન મધરાતે તસ્કરોએ તેઓને મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી અંદાજિત 10થી 15 હજાર રોકડા અને સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા..
જ્યારે સોસાયટીમાં આવેલ અન્ય 4 નંબરના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાં રહેલ રોકડા અને ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.બન્ને બનાવ અંગે મકાન માલિકે તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી હતી જેના પગલે જીઆઇડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories
Read the Next Article

અંકલેશ્વર : શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું કરાયું આયોજન

અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • શહેર ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ 

  • ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે આયોજન

  • પાલિકા ડિસ્પેન્સરી ખાતે કરાયું રક્તદાન શિબિરનું આયોજન

  • ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન 

અંકલેશ્વર શહેરમાં ભાજપ યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર પાલિકા ડિસ્પેન્સરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું,રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું,આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રકતદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી,અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા,પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત તેમજ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories