અંકલેશ્વર: નગર સેવા સદન દ્વારા તિરંગા યાત્રાનું આયોજન

અંકલેશ્વરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું નગર સેવાસદન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

New Update

અંકલેશ્વરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું નગર સેવાસદન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

Advertisment
દેશના સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ઉજવવામાં આવી રહ્યું છે જે નિમિત્તે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા આજરોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરની ઇ.એન.જીનવાલા હાઇસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે વિવિધ વિસ્તારોમાં ફરી જવાહર બાગ ખાતે પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં નગરપાલિકાના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબહેન મકવાણા સહિતના આગેવાનો વિવિધ શાળાના બાળકો તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા
Advertisment
Read the Next Article

ભરૂચ : સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતી તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા, શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

New Update
ભરૂચ 1222

ભરૂચના  મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

Advertisment

આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તત્કાલ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી.108 ની ટીમ ઘટનાસ્થળે તરત પહોંચી અને દંપતીને પ્રાથમિક સારવાર આપી. આ દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં, સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisment