New Update
-
અંકલેશ્વરમાં ફરી વાર ટ્રાફિકજામની પરિસ્થિતિ
-
રાજપીપળા ચોકડી નજીક ભારે ટ્રાફિકજામ
-
જીઆઈડીસીમાં પ્રવેશવાના માર્ગ પર પણ ટ્રાફિકજામ
-
ટ્રાફિકજામમાં અનેક વાહનચાલકો અટવાયા
-
સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એ જરૂરી
અંકલેશ્વરમાં ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહન ચાલકો અટવાયા હતા અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી લઈ સાળંગપુર સુધીના માર્ગ પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
બીજી તરફ જીઆઇડીસીમાં પ્રવેશવાના માર્ગ પર પણ વાહનોની કતાર જોવા મળી હતી અને આ તરફ અંકલેશ્વર નેશનલ હાઇવેના સર્વિસ રોડથી લઈ સહયોગ હોટલ સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો જેમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા.
ટ્રાફિક જામની સર્જાતી વારંવારની પરિસ્થિતિથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે આ પરિસ્થિતિ પર અંકુશ મેળવવા પોલીસ વિભાગ નક્કર આયોજન કરે તે અત્યંત જરૂરી છે.