ભરૂચશહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિતઅંબિકાનગર સોસાયટીમાં ગતરોજ તસ્કરો ત્રાટક્યાહતા. સદનસીબે મકાન માલિક જાગી જતાં તસ્કરો મકાનની દીવાલ કૂદીને ભાગવામાં સફળ રહ્યા હતા. જોકે,એક તસ્કર ત્યાં રહેલાCCTVકેમેરામાં કેદ થઈ ગયો હતો.
હાલમાંદિવાળીના તહેવારોમાં ઘણા લોકો મકાનો બંધ કરીને પોતાના વતન અથવા ફરવા માટે બહારગામ જતા હોય છે,ત્યારેઆતકનો લાભ ઉઠાવી તસ્કરો બંધ મકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપતા હોય છે.તેવામાંગતરોજ ભરૂચ શહેરનાશક્તિનાથ વિસ્તાર સ્થિતઅંબિકાનગર સોસાયટીમાં મંદિર નજીક આવેલા મકાનમાં રાત્રીના 3થી 4 તસ્કરો ત્રાટક્યાહતા.જોકે,તસ્કરોમકાનને નિશાન બનાવે તે પહેલા જ મકાન માલિક જાગી જતાં તસ્કરોમાં દોડધામ મચી ગઇ હતી. આ સમયે એક તસ્કર મકાનની દીવાલ કુદીને ભાગવામાં સફળરહ્યોહતો. પરતું ત્યાં લાગેલાCCTVકેમેરામાં કેદ થઈ ગયો હતો. આ અંગે સોસાયટીના સ્થાનિકોએએ’ડીવીઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસેCCTVફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.