ભરૂચ: ઉમલ્લા નજીક રેલવે ગરનાળામાં વરસાદી પાણીએ જમાવટ કરતા ગ્રામજનોને હાલાકી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપળા વચ્ચેની રેલવે લાઇન પર ગરનાળામાં ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની સમસ્યાથી સ્થાનિક લોકો પરેશાન થઇ ગયા છે.

author-image
By Connect Gujarat Desk
New Update
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા માંથી પસાર થતી અંકલેશ્વર રાજપીપળા વચ્ચેની રેલવે લાઇન પર ગરનાળામાં ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની સમસ્યાથી સ્થાનિક લોકો પરેશાન થઇ ગયા છે.અને જીવના જોખમે લોકો ગરનાળા માંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. 

ગરનાળામાં ચોમાસા દરમિયાન પાણી ભરાવવાની સમસ્યાથી સ્થાનિક લોકો પરેશાન

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ નજીક કાલીયાપુરા ગામ પાસે મુખ્ય ધોરીમાર્ગને જોડતા ગ્રામીણ માર્ગ પરના રેલવે ગરનાળામાં વરસાદી પાણીની જમાવટ થતા મુશ્કેલરૂપ પરિસ્થિતિ સર્જાય છે. આ ગામના લોકો તેમજ નજીકમાં આવેલી રાજશ્રી વિદ્યામંદિરના શાળાના વિદ્યાર્થીઓએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે,શાળામાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓએ ગરનાળાના પાણી માંથી જીવના જોખમે પસાર થવું પડે છે.
અને વાલીઓ મુખ્ય રોડ પર પોતાના વાહન મુકીને  અડધો કિલોમીટર દૂર સુધી બાળકોને શાળા પરથી પગપાળા લેવા તેમજ મૂકવા જવા માટે મજબુર બન્યા છે. આ ગરનાળા માંથી વરસાદના પાણીનો યોગ્ય રીતે નિકાલ થઇ જાય અને પાણી ભરાઇ ન રહે તે માટે રેલવે તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ પણ ગ્રામજનો કરી રહ્યા છે.
Read the Next Article

ભરૂચ: વરસાદના કારણે બિસ્માર બનેલા માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ, માર્ગ અને મકાન વિભાગની 16 ટીમ કામે લાગી

ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના વધુ નુકસાન પામેલ રસ્તાઓની પ્રથમ તબક્કામાં મરામતની 16 ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી....

New Update
Roads and Building Department
ભરૂચ જિલ્લામાં ગત દિવસો દરમિયાન થયેલ ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય હસ્તકના રસ્તાઓ ઉપર ખાડા પડવાથી તેમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે રસ્તાઓ ખરાબ થયેલા હતા. વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તાઓના દુરસ્તી કામમાં રૂકાવટ આવતી હતી પરંતુ વરસાદના વિરામની સાથે જ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આવા રસ્તાઓના મરામતની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવી છે. 

Roads Repair

માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર રોનક શાહના જણાવ્યા મુજબ ભરૂચ જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના વધુ નુકસાન પામેલ રસ્તાઓની પ્રથમ તબક્કામાં મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને અંકલેશ્વરથી રાજપીપલા, રાજપારડી થી નેત્રંગ, ઉમલ્લા અશા- પાણેથા, અંકલેશ્વર વાલીયા નેત્રંગ અને સમની વાગરા,પાલેજ ઈખર સરભાણ,વાગરા ગંધાર દેરોલ વગેરે રોડ ઉપર વેટ મિક્સ અને કોન્ક્રીટ મેટલ પેચવર્ક આરએમસી પ્લાન્ટથી શરૂ કરવામાં આવ્યા છે.

Roads Repairs

રસ્તાઓની દૂરસ્તી કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગની ૧૬ ટીમ કાર્યરત કરવામાં આવી છે, જેમાં ૧૮ જેસીબી મશીન, ૧૪ જેટલા રોડ રોલર, ૨ ગ્રેડર ૦૭ ટ્રેક્ટર અને ૩૧ જેટલા ડમ્પર કામે લગાડવામાં આવ્યા છે, આ કામ માટે સુપરવાઇઝર સહિત કુલ ૧૬૩ વ્યક્તિઓની ટીમ રસ્તાઓની દૂરસ્તી માટે કામ કરી રહી છે.
Latest Stories