ભરૂચ રેલવે સ્ટેશન અને અંધેરી ખાતે મહત્વની ટ્રેનના સ્ટોપેજ આપવા માટે લેખિતમાં કરાઈ રજૂઆત

ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ તરીકે વિશ્વભરમાં ઓળખાય છે,અને ટ્રેન,રોડ,તેમજ અન્ય શહેરમાંથી હવાઈ યાત્રા થકી લોકો ઝડપી અને સારી મુસાફરી કરે છે,

New Update
RAILWAYSS
  • ભરૂચ જિલ્લા ભાજપના માજી મહામંત્રી નરેશકુમાર પટેલે સાંસદને કરી રજૂઆત  

  • જ્યારે અંકલેશ્વર સૂર્યનગરી એક્સપ્રેસનું પણ સ્ટોપેજ શરુ કરવાની યાત્રીઓમાં માંગ 

ભરૂચ જિલ્લો ઔદ્યોગિક હબ તરીકે વિશ્વભરમાં ઓળખાય છે,અને ટ્રેન,રોડ,તેમજ અન્ય શહેરમાંથી હવાઈ યાત્રા થકી લોકો ઝડપી અને સારી મુસાફરી કરે છે,જોકે સ્થાનિક લોકોને મહત્વની ટ્રેનનું સ્ટોપેજ મળે તે માટે સાંસદ મનસુખ વસાવા સહિત ધારાસભ્યોને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. 

ભરૂચ જિલ્લા ભાજપના માજી મહામંત્રી નરેશકુમાર બી.પટેલ દ્વારા સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,અરૂણસિંહ રણા,ઈશ્વરસિંહ પટેલ તેમજ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને સંબોધન કરીને એક રજૂઆત કરતો પત્ર લખવામાં આવ્યો છે,જેમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈ થી અમદાવાદ અને અમદાવાદ થી મુંબઈ તરફ દોડતી શતાબ્દી એક્પ્રેસનું સ્ટોપેજ મુંબઇના અંધેરી ખાતે આપવામાં આવે,જેના કારણે અંધેરી એરપોર્ટ સાથે અંધેરી રેલવે સ્ટેશનની કનેક્ટિવિટી વધે અને યાત્રીઓ માટે સુવિધાજનક અને સરળતા બની રહે.

આ ઉપરાંત તેજસ એક્સપ્રેસ ટ્રેન નંબર12953અને12954ટ્રેનનું સ્ટોપેજ અગાઉ અંધેરી રેલવે મથક પર હતું જ પરંતુ કોરોના કાળમાં આ સ્ટોપેજને બંધ કરવામાં આવ્યું હતું,વધુમાં તેજસ એક્સપ્રેસ ટ્રેન નંબર82901અને82902નું સ્ટોપેજ પણ અંધેરી રેલવે સ્ટેશન ખાતે આપી શકાય તેમ છે કારણ કે આ સમય દરમિયાન લોકલ ટ્રેનનો ટ્રાફિક પણ રેલ વ્યવહારને નડતો નથી.તેથી તેજસ એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ અંધેરી ખાતે આપવા માટે રજૂઆત કરવામાં આવી છે.

વધુમાં નરેશકુમાર પટેલની રજૂઆતમાં મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ તરફ દોડતી વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ પણ ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આપવા માટે રજૂઆત કરવામાં આવી છે.જ્યારે અંકલેશ્વર પણ રેલ કનેક્ટિવિટી માટે એક મહત્વનું સ્થળ ગણાય છે,અગાઉ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે સૂર્યનગરી એક્સપ્રેસનું સ્ટોપેજ આપવામાં આવ્યું હતું,પરંતુ તેનું સ્ટોપેજ બંધ કર્યા બાદ રેલયાત્રી માટે અસુવિધા ઉભી થઇ છે,તેથી સૂર્યનગરી એક્સપ્રેસનું અંકલેશ્વરમાં સ્ટોપેજ શરૂ કરવા માટે પણ રેલ યાત્રીઓમાં માંગ ઉઠી છે.  

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.