ભાવનગર : સગીરાનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટનામાં ૩ આરોપીઓને આજીવન કેદ

ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારના ભગવતી સર્કલ નજીકથી એક સગીરાનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટનામાં ઝડપાયેલા ૩ આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

New Update
ભાવનગર : સગીરાનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટનામાં ૩ આરોપીઓને આજીવન કેદ

ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારના ભગવતી સર્કલ નજીકથી એક સગીરાનું અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરવાની ઘટનામાં ઝડપાયેલા ૩ આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

રાજ્યમાં દુષ્કર્મના કેસોમાં થઇ રહેલા સતત વધારાને લઈને ભાવનગર કોર્ટે આવી ઘટના સામે લાલ આંખ કરી એક મહત્વપૂર્ણ ચુકાદો માત્ર ઘટનાના 52 દિવસમાં આપી આવું કૃત્યને અંજામ આપતા લોકોને એક ચેતવણી આપી છે. ગત તા. 12 ફેબ્રુઆરીના રોજ ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારના ભગવતી સર્કલ નજીકથી એક સગીરાને 3 ઇસમોએ લલચાવી ફોસલાવી કારમાં ત્રાપજ ગામે લઇ જઈ તેની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટનામાં પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઇ માત્ર 24 કલાકમાં ચાર્જશીટ ફાઈલ કરી એક નવો ઈતિહાસ રચ્યો હતો, જયારે આ ઘટનામાં કોર્ટે પણ માત્ર 52 દિવસમાં 12 હિયરીંગ કરી સરકારી વકીલોની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આ ઘટનાના ત્રણેય આરોપીઓ મનસુખ ભોપા સોલંકી, સંજય છગન મકવાણા અને મુસ્તુકા આઇનુલ હકને જીવે ત્યાં સુધી જેલની સજા એટલે કે, આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ પોક્સો હેઠળ ભોગ બનનાર સગીરાને રૂપિયા 6 લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો છે.