ભાવનગર: રૂપાવટી ગામે હિંદુ વિસ્તારમાં દફનવિધિ થતા ગ્રામજનોમાં રોષ,ગામની શણતી ડહોળવાનો પ્રયાસ થયા હોવાના આક્ષેપ

ભાવનગરના ગારિયાધારના રૂપાવટી ગામનો બનાવ, હિંદુ વિસ્તારમાં દફનવિધિ થતા વિવાદ, ગ્રામજનોએ રોષ વ્યકત કર્યો

New Update
ભાવનગર: રૂપાવટી ગામે હિંદુ વિસ્તારમાં દફનવિધિ થતા ગ્રામજનોમાં રોષ,ગામની શણતી ડહોળવાનો પ્રયાસ થયા હોવાના આક્ષેપ

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનાં રૂપાવટી ગામે હિન્દુ વિસ્તારમાં દફનવિધિ કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ બાબતે મામલતદારને રજૂઆત કરવામાં આવી છે

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામે હિંદુ વિસ્તારમાં દફનવીધી થતા રૂપાવટી ગામના લોકોમાં ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો હતો.રૂપાવટી ગામમાં કબ્રસ્તાન હોવા છતાં હિંદુ વિસ્તારમાં દફનવીધી કરવા પાછળ રૂપાવટી ગામની શાંતિ ડહોળવાનો પ્રયાસ ગામના લોકોએ કરતા ગામ લોકોમાં આક્રોશ થયો હતો . જો કે આ અગાઉ મામલતદારને આવેદનપત્ર આપવા છતાં કોઈ ઉકેલ ન આવતા ગામ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.રૂપાવટી ગામના લોકો કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી ગારીયાધારની મામલતદાર કચેરી ખાતે આમરણાંત ધારણાના કાર્યક્રમ માં બેસશે અને આવનારા સમયમાં આનાથી પણ ઉગ્ર કાર્યક્રમ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

Read the Next Article

ભરૂચ: વાલિયાથી વાડીને જોડતા મુખ્યમાર્ગ પર વૃક્ષ ધરાશાયી, વાહનવ્યવહારને અસર

ભરૂચના વાલિયા-વાડી વચ્ચે બાવળનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

New Update
sdhgifg

ભરૂચના વાલિયા-વાડી વચ્ચે બાવળનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

છેલ્લા 4 દિવસથી ભરૂચના વાલિયા તાલુકામાં અવિરત વરસાદ વરસતા વૃક્ષો ધરાશાયી થવાનો ઘટનાઓ સામે આવી છે ત્યારે વાલિયા-વાડી વચ્ચે બાવળનું વૃક્ષ મુખ્ય માર્ગ ઉપર ધરાશાયી થયું છે.જેને પગલે વાહન વ્યવહારને અસર થઈ છે.વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ગતરોજ સાંજે વાલિયા પોલીસને જાણ થતાં સ્ટાફ દ્વારા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમરના માર્ગ દર્શન હેઠળ વૃક્ષને માર્ગની બાજુમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.