ભાવનગર: રૂપાવટી ગામે હિંદુ વિસ્તારમાં દફનવિધિ થતા ગ્રામજનોમાં રોષ,ગામની શણતી ડહોળવાનો પ્રયાસ થયા હોવાના આક્ષેપ

ભાવનગરના ગારિયાધારના રૂપાવટી ગામનો બનાવ, હિંદુ વિસ્તારમાં દફનવિધિ થતા વિવાદ, ગ્રામજનોએ રોષ વ્યકત કર્યો

New Update
ભાવનગર: રૂપાવટી ગામે હિંદુ વિસ્તારમાં દફનવિધિ થતા ગ્રામજનોમાં રોષ,ગામની શણતી ડહોળવાનો પ્રયાસ થયા હોવાના આક્ષેપ

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનાં રૂપાવટી ગામે હિન્દુ વિસ્તારમાં દફનવિધિ કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ બાબતે મામલતદારને રજૂઆત કરવામાં આવી છે

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામે હિંદુ વિસ્તારમાં દફનવીધી થતા રૂપાવટી ગામના લોકોમાં ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો હતો.રૂપાવટી ગામમાં કબ્રસ્તાન હોવા છતાં હિંદુ વિસ્તારમાં દફનવીધી કરવા પાછળ રૂપાવટી ગામની શાંતિ ડહોળવાનો પ્રયાસ ગામના લોકોએ કરતા ગામ લોકોમાં આક્રોશ થયો હતો . જો કે આ અગાઉ મામલતદારને આવેદનપત્ર આપવા છતાં કોઈ ઉકેલ ન આવતા ગામ લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.રૂપાવટી ગામના લોકો કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી ગારીયાધારની મામલતદાર કચેરી ખાતે આમરણાંત ધારણાના કાર્યક્રમ માં બેસશે અને આવનારા સમયમાં આનાથી પણ ઉગ્ર કાર્યક્રમ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.