ભાવનગર : સૌની યોજનાથી ભરાનાર બોરતળાવની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુલાકાત લીધી
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજરોજ ભાવનગર ખાતે ‘યુવા શક્તિ દિન’ની ઉજવણીમાં સહભાગી થયાં બાદ બોરતળાવની મુલાકાત લીધી હતી.

રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજરોજ ભાવનગર ખાતે 'યુવા શક્તિ દિન'ની ઉજવણીમાં સહભાગી થયાં બાદ બોરતળાવની મુલાકાત લીધી હતી.
ભાવનગરમાં આવેલાં બોરતળાવને આવતીકાલે શનિવારના રોજ સૌની યોજનાથી પાણીથી ભરવામાં આવશે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, ગુજરાતે રાજ્યમાં સૌની યોજના, સુજલામ- સુફલામ યોજના તથા રાજ્યના ૧૧૫ ડેમમાં પાણી ભરી પાણીના પાણીદાર આયોજન દ્વારા પીવાના પાણી સાથે સિંચાઇની સુદ્રઢ વ્યવસ્થા ગોઠવી છે. રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાય, વધુને વધુ મૂડીરોકાણ આવે અને ઉદ્યોગોનો વિકાસ થાય, રોજગારી ઉભી થાય તે માટેના વ્યાપક પ્રયાસો કરવામાં આવ્યાં છે. સ્થાનિક ધારાસભ્ય અને રાજય સરકારમાં મંત્રી વિભાવરીબેન દવે, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને સ્થાનિક નેતાઓની સક્રિય કામગીરીના કારણે નર્મદાના નીર ભાવનગરની ધરાને પવિત્ર કરવાં માટે આવતીકાલે બોર તળાવમાં આવી રહ્યાં છે. વધુમાં તેમણે કહ્યું કે, કૃષિ સંસ્કૃતિમાં જળ એ જીવન છે. માનવમાત્રનું જીવન પાણીના સ્ત્રોતોની આસપાસ વિકસ્યું છે. પાણીથી માનવજીવન સાથે પશુપંખીઓનું સહ -અસ્તિત્વ પણ જોડાયેલું છે.
મંત્રીએ આ અવસરે થાપનાથ મહાદેવની પૂજા કરી હતી. તેમજ બોર તળાવ પર જઇને આવનાર પાણીની તથા નિકાલ સહિતની વ્યવસ્થાઓની વિગતો ઉપસ્થિત સિંચાઇ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMTઅંકલેશ્વર:સાયોના કેર કંપનીમાંથી ગુમ યુવાનનો મૃતદેહ 7 દિવસે વિકૃત...
7 April 2022 11:46 AM GMT
રાજ્યમાં આજે કોરોનાના 28 નવા કેસ નોધાયા, 37 દર્દીઑ થયા સાજા
17 May 2022 4:01 PM GMTભરૂચ: ગાંધીના ગુજરાતમાં જંબુસરના આ ગામમાં દારૂના કારણે 100થી વધુ...
17 May 2022 2:23 PM GMTવડોદરા : ફતેપુરા વિસ્તારમાં સરકારી બાબુઓની બાય બાય ચારણીથી કંટાળી...
17 May 2022 2:18 PM GMTભરૂચ: દહેજની જી.એ.સી.એલ કંપનીમાંથી પેલેડીયમ કેટાલિસ્ટ પાઉડર ચોરીનો...
17 May 2022 1:07 PM GMTભરૂચ :દહેજની ભારત રસાયણ કંપનીના બોઇલરમાં બ્લાસ્ટથી ભીષણ આગ ફાટી નીકળી
17 May 2022 12:15 PM GMT