-
આતંકી હુમલામાં પિતા-પુત્રના નિપજ્યા હતા મોત
-
ભાવનગર ખાતે પાર્થિવદેહ આવતા જ ભારે ગમગીની છવાઈ
-
પિતાપુત્રની અંતિમ યાત્રામાં સીએમએ પાઠવી શ્રદ્ધાંજલિ
-
દુઃખદ ઘટનામાં પરિવારજનોને સીએમે સાંત્વના પાઠવી
-
કાજલબેને સીએમને કહ્યું સાહેબ મારુ ઘર વિખેરાઈ ગયું
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર ભાવનગરના પિતા-પુત્રની અંતિમ યાત્રા નીકળી હતી.અને આ દુઃખદ ક્ષણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.મૃતકના પત્ની કાજલબેને વિલાપ કરતા સીએમને જણાવ્યું હતું કે સાહેબ મારું ઘર વિખેરાઇ ગયું છે.
ભાવનગરના પરમાર પરિવારના યતિશ પરમાર તેમના પુત્ર સ્મિત પરમાર જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓની ગોળીનો ભોગ બન્યા હતા,તેમના પાર્થિવદેહને વતન લાવવામાં આવતા ભારે શોકની કાલિમા છવાઈ ગઈ હતી.આજરોજ સવારના પિતાપુત્રની એક સાથે જ અંતિમ યાત્રા નીકળતા પરિવારજનો સહિત સમગ્ર ગામ હીબકે ચડ્યું હતું,આ દુઃખદ ઘડીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ પરમાર પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા.ત્યારે વિલાપ કરતા કાજલબેન એટલું જ કહી શક્યા કે, સાહેબ,મારું ઘર વિખેરાઈ ગયું. કાજલબેનના આ શબ્દોથી મુખ્યમંત્રી સહિત ત્યાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરમાર પરિવાર સાથે ફરવા ગયેલા લોકો સાથે પણ મુલાકાત કરી હતી.પહેલગામ આતંકી હુમલાના મૃતક યતિશ પરમાર તેમના પુત્ર સ્મિત પરમારના ભાવનગરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મિત અને યતિશ પરમારને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જીતુ વાઘાણીએ શ્રદ્ધાંજલિ આપી હતી.
ભાવનગરના પિતા પુત્ર એવા યતિશ પરમાર અને સ્મિત પરમારની અંતિમયાત્રા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરમાર પરિવારને સાંત્વના આપી હતી. અને પરિવારે ન્યાય અપાવવાની માંગણી પણ કરી હતી. આખા ભાવનગરે અશ્રૃભીની આંખે પિતા-પુત્રને અંતિમ વિદાય આપી હતી.