ભાવનગર : પિતા-પુત્રની અંતિમ યાત્રા ક્ષણે વિલાપ કરતા કાજલબેને મુખ્યમંત્રીને કહ્યું સાહેબ મારુ ઘર વિખેરાઇ ગયું!

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર ભાવનગરના પિતા-પુત્રની અંતિમ યાત્રા નીકળી હતી.અને આ દુઃખદ ક્ષણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

New Update
  • આતંકી હુમલામાં પિતા-પુત્રના નિપજ્યા હતા મોત

  • ભાવનગર ખાતે પાર્થિવદેહ આવતા જ ભારે ગમગીની છવાઈ

  • પિતાપુત્રની અંતિમ યાત્રામાં સીએમએ પાઠવી શ્રદ્ધાંજલિ

  • દુઃખદ ઘટનામાં પરિવારજનોને સીએમે સાંત્વના પાઠવી

  • કાજલબેને સીએમને કહ્યું સાહેબ મારુ ઘર વિખેરાઈ ગયું 

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર ભાવનગરના પિતા-પુત્રની અંતિમ યાત્રા નીકળી હતી.અને આ દુઃખદ ક્ષણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.મૃતકના પત્ની કાજલબેને વિલાપ કરતા સીએમને જણાવ્યું હતું કે સાહેબ મારું ઘર વિખેરાઇ ગયું છે.

ભાવનગરના પરમાર પરિવારના યતિશ પરમાર તેમના પુત્ર સ્મિત પરમાર જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓની ગોળીનો ભોગ બન્યા હતા,તેમના પાર્થિવદેહને વતન લાવવામાં આવતા ભારે શોકની કાલિમા છવાઈ ગઈ હતી.આજરોજ સવારના પિતાપુત્રની એક સાથે જ અંતિમ યાત્રા નીકળતા પરિવારજનો સહિત સમગ્ર ગામ હીબકે ચડ્યું હતું,આ દુઃખદ ઘડીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ પરમાર પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા.ત્યારે વિલાપ કરતા કાજલબેન એટલું જ કહી શક્યા કેસાહેબ,મારું ઘર વિખેરાઈ ગયું. કાજલબેનના આ શબ્દોથી મુખ્યમંત્રી સહિત ત્યાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરમાર પરિવાર સાથે ફરવા ગયેલા લોકો સાથે પણ મુલાકાત કરી હતી.પહેલગામ આતંકી હુમલાના મૃતક યતિશ પરમાર તેમના પુત્ર સ્મિત પરમારના  ભાવનગરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મિત અને યતિશ પરમારને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જીતુ વાઘાણીએ શ્રદ્ધાંજલિ આપી હતી.

ભાવનગરના પિતા પુત્ર એવા યતિશ પરમાર અને સ્મિત પરમારની અંતિમયાત્રા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરમાર પરિવારને સાંત્વના આપી હતી. અને પરિવારે ન્યાય અપાવવાની માંગણી પણ કરી હતી. આખા ભાવનગરે અશ્રૃભીની આંખે પિતા-પુત્રને અંતિમ વિદાય આપી હતી.

Read the Next Article

"ઓપરેશન સાયબર સ્ટોર્મ" : નવસારી પોલીસે રૂ. 3 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો, 35 આરોપીઓની ધરપકડ

સાયબર ક્રાઈમને નાથવા માટે "ઓપરેશન સાયબર સ્ટોર્મ" હેઠળ નવસારી જિલ્લા પોલીસે સાયબર ફ્રોડના ગુન્હામાં સંડોવાયેલા 35 આરોપીઓની ધરપકડ કરી રૂ. 3 કરોડની ઠગાઈનો પર્દાફાશ કર્યો છે.

New Update
  • "ઓપરેશન સાયબર સ્ટોર્મ" હેઠળ પોલીસની કાર્યવાહી

  • નવસારી પોલીસે રૂ. 3 કરોડની ઠગાઈનો પર્દાફાશ કર્યો

  • પોલીસે સાયબર ફ્રોડના વિવિધ ગુન્હાઓનો ભેદ ઉકેલ્યો

  • ગુન્હામાં સંડોવાયેલા 35 આરોપીઓની ધરપકડ કરાય

  • સાયબર ક્રાઈમ અંકુશમાં લાવવામાં મહત્વપૂર્ણ અભિયાન

સાયબર ક્રાઈમને નાથવા માટે "ઓપરેશન સાયબર સ્ટોર્મ" હેઠળ નવસારી જિલ્લા પોલીસે સાયબર ફ્રોડના ગુન્હામાં સંડોવાયેલા 35 આરોપીઓની ધરપકડ કરી રૂ. 3 કરોડની ઠગાઈનો પર્દાફાશ કર્યો છે.

નવસારી જિલ્લા પોલીસે સાયબર ક્રાઈમ પર લગામ કસવા માટે એક મોટું અભિયાન છેડ્યું છેજેને "ઓપરેશન સાયબર સ્ટોર્મ" નામ આપવામાં આવ્યું છે. આ કાર્યવાહી ગુજરાતના સુરતભરૂચભાવનગરરાજકોટઅમદાવાદ તેમજ રાજસ્થાનના જયપુર અને મહારાષ્ટ્રના મુંબઈ સહિત કુલ 7 જિલ્લાઓમાં કરવામાં આવી હતી. આ અભિયાન માટે નવસારી પોલીસે કુલ 9 ટીમો બનાવી હતી. આ ટીમોમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ ઉપરાંત LCB, SOG, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને સ્થાનિક પોલીસ સ્ટેશનોના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઓપરેશન અંતર્ગત નવસારી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા નાણાકીય છેતરપિંડીના કુલ 10 ગુન્હાઓમાં સંડોવાયેલા 35 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ ગુજરાતરાજસ્થાન અને મહારાષ્ટ્રના 7 અલગ અલગ જિલ્લાઓમાંથી ઝડપાયા છે.

"ઓપરેશન સાયબર સ્ટોર્મ" દરમિયાન 5 મુખ્ય પ્રકારની સાયબર ઠગાઈની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડફેસબુક આઈ.ડી. ફ્રોડશેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડઑનલાઇન ટ્રેડિંગ ફ્રોડખેતીવાડી લેણદેણી સંકળાયેલા ફ્રોડ સહિત કેટલાક અન્ય પ્રકારના ઇલેક્ટ્રોનિક ચીટિંગના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આ ઓપરેશનમાં કુલ રૂ. 3 કરોડ 1 લાખ 35 હજારથી વધુની છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. તમામ આરોપીઓ સામે કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે અને હાલ રિમાન્ડ પ્રક્રિયા ચાલી રહી છે. આરોપીઓની પૂછપરછના આધારેઅત્યાર સુધીમાં 10 જેટલા આરોપીઓને નાસતા ફરતા જાહેર કરવામાં આવ્યા છેજેમની ધરપકડ માટે પણ તીવ્ર પગલાં લેવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કેનવસારી પોલીસે "ઓપરેશન સાયબર સ્ટોર્મ" દ્વારા સાયબર ગુનેગારોને સકંજામાં લેવામાં મોટી સફળતા મેળવી છેજે સાયબર ક્રાઈમને અંકુશમાં લેવા માટે એક મહત્વપૂર્ણ કદમ છે.