ભાવનગર : 75 લાખની દિલધડક લૂંટની ઘટનામાં ત્રણ આરોપી ઝડપાયા,પોલીસે 74.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના એસ.બી.આઈ. બેંક પાસે ધોળા દિવસે છરીની અણીએ 75 લાખ રૂપિયાની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી,

New Update
  • ચિત્રા વિસ્તારમાં લૂંટની ઘટનાનો મામલો

  • ત્રણ લૂંટારૂઓએ  આપ્યો હતો લૂંટને અંજામ

  • ચપ્પુની અણીએ રૂ.75 લાખ રોકડની કરી હતી લૂંટ

  • પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ

  • પોલીસે રૂ.74.97 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત  

ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના એસ.બી.આઈ. બેંક પાસે ધોળા દિવસે છરીની અણીએ 75 લાખ રૂપિયાની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ લૂંટારુઓની ધરપકડ કરી હતી.અને રૂપિયા 74 લાખ 97 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભાવનગર શહેરમાં ધોળા દિવસે જાહેર રોડ પર ત્રણ શખ્સોએ લાખો રૂપિયાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતાજોકે આ ઘટનામાં પોલીસની સતર્કતાના કારણે લૂંટારુઓ જિલ્લા બહાર પલાયન થાય એ પૂર્વે જ પોલીસે ત્રણે ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના એસ.બી.આઈ. બેંક પાસે રૂપિયા 75 લાખ રૂપિયાની લૂંટ કરાવવાનો કિસ્સો સામે આવ્યો હતો. જે ઘટનામાં બેંકમાંથી રૂપિયા ઉપાડીને પરત જઈ રહેલા બે વ્યક્તિઓ પાસેથી રૂપિયા ભરેલા થેલાની છરીની અણીએ લૂંટ ચલાવવામાં આવી હતીજે ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે.

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કેએક એક્ટિવા અને બાઈક પર સવાર ત્રણ ઈસમોએ ફરિયાદીને અટકાવી રૂપિયા ભરેલી બેગને લૂંટી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જેને લઈને ભાવનગરAPMC માં મીના એન્ટરપ્રાઇઝ નામની પેઢીના માલિકે લૂંટ કરી ફરાર થઈ ગયેલા 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતોઅને ત્યાર બાદ પોલીસે પાંચ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી ગણતરીની કલાકોમાં જ ત્રણે લૂંટારૂઓને પોલીસે ઝડપી લીધા હતાપોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 74 લાખ 50 હજાર રોકડ અને 47 હજારના ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા 74 લાખ 97 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છેસમગ્ર બનાવને લઈને ભાવનગર  જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ પટેલે માહિતી આપી હતી.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.