ભાવનગર : 75 લાખની દિલધડક લૂંટની ઘટનામાં ત્રણ આરોપી ઝડપાયા,પોલીસે 74.97 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના એસ.બી.આઈ. બેંક પાસે ધોળા દિવસે છરીની અણીએ 75 લાખ રૂપિયાની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી,

New Update
  • ચિત્રા વિસ્તારમાં લૂંટની ઘટનાનો મામલો

  • ત્રણ લૂંટારૂઓએ  આપ્યો હતો લૂંટને અંજામ

  • ચપ્પુની અણીએ રૂ.75 લાખ રોકડની કરી હતી લૂંટ

  • પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ

  • પોલીસે રૂ.74.97 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત  

Advertisment

ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના એસ.બી.આઈ. બેંક પાસે ધોળા દિવસે છરીની અણીએ 75 લાખ રૂપિયાની લૂંટની ઘટના પ્રકાશમાં આવી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ લૂંટારુઓની ધરપકડ કરી હતી.અને રૂપિયા 74 લાખ 97 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભાવનગર શહેરમાં ધોળા દિવસે જાહેર રોડ પર ત્રણ શખ્સોએ લાખો રૂપિયાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતાજોકે આ ઘટનામાં પોલીસની સતર્કતાના કારણે લૂંટારુઓ જિલ્લા બહાર પલાયન થાય એ પૂર્વે જ પોલીસે ત્રણે ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારના એસ.બી.આઈ. બેંક પાસે રૂપિયા 75 લાખ રૂપિયાની લૂંટ કરાવવાનો કિસ્સો સામે આવ્યો હતો. જે ઘટનામાં બેંકમાંથી રૂપિયા ઉપાડીને પરત જઈ રહેલા બે વ્યક્તિઓ પાસેથી રૂપિયા ભરેલા થેલાની છરીની અણીએ લૂંટ ચલાવવામાં આવી હતીજે ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે.

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કેએક એક્ટિવા અને બાઈક પર સવાર ત્રણ ઈસમોએ ફરિયાદીને અટકાવી રૂપિયા ભરેલી બેગને લૂંટી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જેને લઈને ભાવનગર APMC માં મીના એન્ટરપ્રાઇઝ નામની પેઢીના માલિકે લૂંટ કરી ફરાર થઈ ગયેલા 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસ દ્વારા ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતોઅને ત્યાર બાદ પોલીસે પાંચ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી ગણતરીની કલાકોમાં જ ત્રણે લૂંટારૂઓને પોલીસે ઝડપી લીધા હતાપોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 74 લાખ 50 હજાર રોકડ અને 47 હજારના ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા 74 લાખ 97 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છેસમગ્ર બનાવને લઈને ભાવનગર  જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ પટેલે માહિતી આપી હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment