બોટાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 298 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા...

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા 298 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update
બોટાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 298 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા...

બોટાદ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂપિયા 298 કરોડના ખર્ચે નિર્માણ પામેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે વિકાસ કાર્યોના વધુ આયામો સર કરવા વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા.

Advertisment

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બોટાદ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીન હસ્તે રૂપિયા 298 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જનમેદનીને સંબોધતાં મુખ્યંમત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસના નવા આયામો સર કર્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી દેશ અમૃત કાળમાં પ્રવેશી ચૂક્યો છે, ત્યારે આ અમૃતકાળમાં જ ભારત વિકસિત રાષ્ટ્ર બને તે માટે આપણે ગુજરાતને પણ વધુને વધુ વિકસિત બનાવવા પ્રયાસ કરવા જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, 74મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદ ખાતે કરવામાં આવી રહી છે, ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ બોટાદ જિલ્લાવાસીઓ માટે રાજ્ય સરકાર તરફથી ભેટ છે.

Advertisment