બોટાદ : શરદોત્સવ નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હીરા જડિત મુકુટ સહિત કમળની થીમનો દિવ્ય શણગાર કરાયો...

કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર સોમવાર નિમિત્તે દાદાને હીરા જડિત મુકુટની સાથે દિવ્ય વાઘા ધરાવાયા હતા, આ સાથે જ કમળની થીમનો દિવ્ય શણગાર પણ કરવામાં આવ્યો હતો.

New Update
  • કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં સોમવાર નિમિત્તે આયોજન

  • શ્રી હનુમાનજીના સિંહાસનને દિવ્ય શણગાર કરવામાં આવ્યો

  • દાદાને હીરા જડિત મુકુટ - કમળની થીમનો શણગાર કરાયો

  • સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું

  • ભગવાનના દિવ્ય શણગારના દર્શન કરી ભાવિકો ધન્ય થયા

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર સોમવાર નિમિત્તે દાદાને હીરા જડિત મુકુટની સાથે દિવ્ય વાઘા ધરાવાયા હતાઆ સાથે જ કમળની થીમનો દિવ્ય શણગાર પણ કરવામાં આવ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર સોમવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને હીરા જડિત મુકુટની સાથે દિવ્ય વાઘા ધરાવાયા હતાઆ સાથે જ કમળની થીમનો દિવ્ય શણગાર પણ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળાની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાળંગપુરમાં વિરાજિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે વિવિધ ચીજવસ્તુઓથી શણગાર કરવામાં આવે છેત્યારે વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી.

જોકેપવિત્ર સોમવાર નિમિત્તે સમગ્ર મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. આ તકે મંદિર પરિસરમાં હનુમાન ચાલીસા યજ્ઞનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતુંજ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ અલૌકિક દિવ્ય શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. એટલું જ નહીંશરદોત્સવ નિમિતે રાત્રે 9થી 11 કલાક દરમિયાન દાદાના દરબારમાં સંતો-ભક્તોના સાન્નિધ્યમાં રાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Latest Stories