શ્રી કષ્ટભંજનદેવને કરાયો સુંદર શણગાર
દેવઉઠી અગિયારસ નિમિત્તે વિશેષ શણગાર
જરદોશી વર્કવાળા વાઘાનો શણગાર
સિંહાસન કમળની થીમ સાથે શણગારાયું
ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને દેવઉઠી અગિયારસ અને કારતક માસના બીજા શનિવાર નિમિત્તે જરદોશી વર્કવાળા વાઘા અને કમળની થીમ સાથે ગલગોટા અને સેવંતીના ફુલનો શણગાર કરવામાં આવ્યો હતો.
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 1 નવેમ્બર દેવઉઠી અગિયારસ અને કારતક માસના બીજા શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આજે સવારે મંગળા આરતી અને શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીએ કરી હતી. મહત્ત્વનું છે કે, આજે સાળંગપુર હનુમાનજી મંદિરે વરસાદ હોવા છતાં ભક્તો લાંબી લાઈનમાં ઉભા રહીને હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ પાવન અવસરે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડના વૃંદાવનમાં સાત દિવસની મહેનતે જરદોશી વર્કવાળા કમળની થીમના વાઘા અને સિંહાસને કમળની થીમ સાથે ગલગોટા અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. દાદાના આ દર્શનનો લ્હાવો લઈને ભક્તો ધન્યતા અનુભવી હતી.