ચૈતર વસાવાએ CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, આદિવાસી અધિકારીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાના આક્ષેપ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયને બાબતે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી 

New Update

ડેડીયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા

ચૈતર વસાવાએ CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર

અનુસૂચિત જાતિના પ્રશ્નો બાબતે પત્ર લખાયો

આદિવાસી અધિકારીઓ સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ

અસ્પૃશ્યતા નિવારણ શિબિરનું આયોજન કરવા માંગ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયને બાબતે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી 
Advertisment
2/38

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને  પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.જેમાં જણાવ્યા અનુસાર અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયો માટે સમગ્ર ગુજરાતમાં અસ્પૃશ્યતા નિવારણ શિબિરનું આયોજન કરવામાં આવે તેમજ રાજ્ય સરકારની નોકરીની જાહેરાતોમાં વ્યવસ્થિત અમલ થવો અને ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયની બેકલોગની સીટો ખાલી છે જે ભરવા સરકારે યોગ્ય કાર્યવાહી કરવી,ગુજરાતમાં મહિલાઓ સાથે થતી જાતીય સતામણી માટે મહિલાઓને પોકસો, ગુડ ટચ બેડ ટચ સહીતની વિશે માહિતી મળે તે માટે મહિલા સ્વાભિમાન સંમેલનનું આયોજન સરકારી ખર્ચે કરવું  એ સહિતની માંગ કરવામાં આવી છે. 
આ ઉપરાંત ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ સમુદાયથી સંબંધિત અધિકારી સાથે આજે પણ ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે, વંચિત સમુદાયના અધિકારીઓને આજે પણ ડીસીજન મેકીંગ પોસ્ટ આપવામાં આવી રહી નથી. મોટા ભાગે અમુક ખાસ જાતિ અને વર્ગના લોકો ને જ મહત્વપુર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે, જે ખરેખર ખોટું અને ગેરકાયદેસર છે. આ તમામ બાબતે ચૈતર વસાવા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે 
Read the Next Article

વલસાડમાં થયેલા વરસાદ બાદ હવામાન વિભાગે આગામી છ દિવસ માટે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી

વલસાડ જિલ્લામાં નવા વર્ષના દિવસોમાં જ મિની વાવાઝોડા જેવો ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બપોર બાદ પારડી અને હાલાર સહિતના વિસ્તારોમાં

New Update
rain varsad

વલસાડ જિલ્લામાં નવા વર્ષના દિવસોમાં જ મિની વાવાઝોડા જેવો ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બપોર બાદ પારડી અને હાલાર સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેને લીધે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો પરેશાન થયા છે. દરમિયાન, હવામાન વિભાગે આગામી છ દિવસ માટે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવા, અપરએર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના છૂટાછવાયા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને આવતીકાલે તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશોમાં વરસાદ વરસી શકે છે.

Advertisment

વલસાડ જિલ્લામાં નવા વર્ષની શરૂઆત અસામાન્ય હવામાન સાથે થઈ છે. પારડી અને હાલાર વિસ્તારમાં તો વરસાદ એટલો તીવ્ર હતો કે તેને મિની વાવાઝોડા જેવો અનુભવ થયો હતો.

વલસાડમાં થયેલા વરસાદ બાદ હવામાન વિભાગે આગામી છ દિવસ માટે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે,  આ વરસાદી માહોલ સર્જાવા પાછળ મુખ્યત્વે ત્રણ હવામાન પરિબળો જવાબદાર છે:

  1. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવી.
  2. અપરએર સર્ક્યુલેશન (Upper Air Circulation).
  3. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance).

આ ત્રણેય પરિબળોના સંયુક્ત પ્રભાવને કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક છૂટાછવાયા જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે અને આવતીકાલે (તારીખનો ઉલ્લેખ નથી) ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે તાપી, ડાંગ, નવસારી અને વલસાડ માં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત, સંઘ પ્રદેશો દમણ અને દાદરાનગર હવેલી માં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જે રાજ્યમાં શિયાળાની શરૂઆત પહેલાં અસામાન્ય વરસાદી માહોલનો સંકેત આપે છે.