ચૈતર વસાવાએ CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, આદિવાસી અધિકારીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાના આક્ષેપ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયને બાબતે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી 

New Update

ડેડીયાપાડાના ધારાસભ્ય છે ચૈતર વસાવા

ચૈતર વસાવાએ CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર

અનુસૂચિત જાતિના પ્રશ્નો બાબતે પત્ર લખાયો

આદિવાસી અધિકારીઓ સાથે અન્યાય થતો હોવાના આક્ષેપ

અસ્પૃશ્યતા નિવારણ શિબિરનું આયોજન કરવા માંગ

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયને બાબતે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી 
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને  પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.જેમાં જણાવ્યા અનુસાર અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયો માટે સમગ્ર ગુજરાતમાં અસ્પૃશ્યતા નિવારણ શિબિરનું આયોજન કરવામાં આવે તેમજ રાજ્ય સરકારની નોકરીની જાહેરાતોમાં વ્યવસ્થિત અમલ થવો અને ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયની બેકલોગની સીટો ખાલી છે જે ભરવા સરકારે યોગ્ય કાર્યવાહી કરવી,ગુજરાતમાં મહિલાઓ સાથે થતી જાતીય સતામણી માટે મહિલાઓને પોકસો, ગુડ ટચ બેડ ટચ સહીતની વિશે માહિતી મળે તે માટે મહિલા સ્વાભિમાન સંમેલનનું આયોજન સરકારી ખર્ચે કરવું  એ સહિતની માંગ કરવામાં આવી છે. 
આ ઉપરાંત ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ સમુદાયથી સંબંધિત અધિકારી સાથે આજે પણ ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે, વંચિત સમુદાયના અધિકારીઓને આજે પણ ડીસીજન મેકીંગ પોસ્ટ આપવામાં આવી રહી નથી. મોટા ભાગે અમુક ખાસ જાતિ અને વર્ગના લોકો ને જ મહત્વપુર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી રહી છે, જે ખરેખર ખોટું અને ગેરકાયદેસર છે. આ તમામ બાબતે ચૈતર વસાવા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે 
Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.