છોટાઉદેપુર : ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મેરિયા-ઓરસંગ બ્રિજ ભારદારી વાહનો માટે બંધ, એસટી. બસના મુસાફરોને હાલાકી...

વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોડેલીને નજીક મેરિયા-ઓરસંગ બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર બંધ કરાય છે.

New Update
  • વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સજ્જ બન્યું

  • બોડેલીને જોડતા મહત્વના બ્રિજની તપાસ હાથ ધરાય

  • મેરિયા-ઓરસંગ બ્રિજ પર ભારદારી વાહનોની પ્રવેશબંધી

  • છોટાઉદેપુર જતી એસટી. બસ બોડેલી ડેપોમાં રોકાય

  • એસટી. બસમાં મુસાફરી કરતા અનેક મુસાફરોને હાલાકી

વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોડેલીને નજીક મેરિયા-ઓરસંગ બ્રિજ પર ભારદારી વાહનોની અવરજવર બંધ કરાય છે. તેવામાં એસટી. બસમાં મુસાફરી કરતા મુસાફરોની હાલત કફોડી બની છે. છોટાઉદેપુર જતી એસટી. બસ અચાનક બોડેલી ડેપોમાં રોકી રૂટ બંધ કરી દેવાતા મુસાફરો અટવાયા હતા.

વડોદરામાં સર્જાયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. બોડેલી તાલુકાને જોડતા મહત્વના તમામ બ્રિજની તપાસ હાથ ધરવામાં આવી હતીત્યારે લોકોની સલામતી અને સુરક્ષા તેમજ સાવચેતીના ભાગરૂપે મેરિયા અને ઓરસંગ બ્રિજ પર ભારદારી વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેવામાં એસટી. બસમાં મુસાફરી કરતા મુસાફરોની પણ હાલત કફોડી બની છે. ગત રવિવારે રાત્રીના સમયે છોટાઉદેપુર જતી એસટી. બસ અચાનક બોડેલી એસટી. ડેપોમાં રોકી રૂટ બંધ કરી દેવાતા અનેક મુસાફરો અટવાય પડ્યા હતા. તો બીજી તરફસોમવારના રોજ શાળા અને કોલેજ જતાં વિદ્યાર્થીઓ તેમજ વડોદરા અને બોડલી અવર જવર કરતા નોકરિયાતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. નાછૂટકે મુસાફરોએ ખાનગી વાહનનો સહારો લીધો હતોજ્યારે બહારથી આવતા લોકો હવે નાના વાહનોમાં મુસાફરી કરવા મજબુર બન્યા છે.

Read the Next Article

“એક ટીપું પાણી નહીં, એક ઇંચ જમીન નહીં” : વલસાડના નડગધરી ગામેથી જીજ્ઞેશ મેવાણી-અનંત પટેલનો હુંકાર...

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નડગધરી ગામ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણી

New Update

ધરમપુર તાલુકાના નડગધરી ગામ ખાતે યોજાયો કાર્યક્રમ

ભગવાન બિરસામુંડાની પ્રતિમાનુંઅનાવરણ કરવામાં આવ્યું

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિ

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ રહ્યા વિશેષ ઉપસ્થિત

પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને ઉગ્ર વિરોધ દર્શાવ્યો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા નડગધરી ગામ ખાતે ભગવાન બિરસામુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણી તેમજ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટને લઈને રાજકારણ ગરમાયું છેત્યારે વાંસદા ધારાસભ્ય અનંત પટેલે 2 હજાર જેટલા લોકોને શપથ લેવડાવ્યા હતા. જેમાં પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કરવા સાથેએક ટીપું પાણી નહીંએક ઇંચ જમીન નહીંના સૂત્રોચ્ચાર થકી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. વધુમાં આગામી તા. 14ના રોજ ધરમપુર ખાતે પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં મહારેલી પણ યોજાશે.

તો બીજી તરફગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જીજ્ઞેશ મેવાણીએ પાર તાપી રિવર લિંક પ્રોજેકટમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થયો હોવાનું જણાવ્યુ હતું. 50 વર્ષથી વધુના રેકોર્ડ માંગીને આદિવાસી સમાજનો એક વર્ગ શિક્ષણ-રાજકીય પ્રતિનિધિત્વ અને સરકરી નોકરીથી વચિંત રહે તેવો સરકારનો કારસો તેમજ ભાજપ સરકાર આદિવાસી સમાજ સાથે છેતરપિંડી કરતી હોવાનો જીજ્ઞેશ મેવાણીએ આક્ષેપ કર્યો હતો.