છોટાઉદેપુર : કુકરદાથી માંકડઆંબા જવાનો કાચો રસ્તો અત્યંત બિસ્માર બનતા પગપાળા પસાર થવું પણ બન્યું જોખમરૂપ

છોટાઉદેપુર જિલ્લાના કુકરદાથી માંકડઆંબા જવાના કાચા રસ્તે કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાય જતા પગપાળા પસાર થવું પણ જોખમ ભર્યું બની ગયું છે.

New Update
  • છોટાઉદેપુરનું રસ્તા વિહોણું ગામ

  • કાદવ કીચડવાળા રસ્તાથી લોકો પરેશાન

  • વારંવારની રજૂઆત પરંતુ કામગીરી શૂન્ય

  • કાદવ યુક્ત માર્ગમાંથી ચાલતા જવું પણ જોખમરૂપ

  • સરકાર પાસે પાકા રસ્તાની માંગ કરતા ગ્રામજનો 

છોટાઉદેપુર જિલ્લાના કુકરદાથી માંકડઆંબા જવાના કાચા રસ્તે કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાય જતા પગપાળા પસાર થવું પણ જોખમ ભર્યું બની ગયું છે.ત્યારે ગ્રામજનોસરકારપાસે પાકા રસ્તાની માંગ કરી રહ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના કુકરદા ગામની અડધી વસ્તી કાચા રસ્તાનું દુઃખ વેઠી રહી છે. આઝાદીના વર્ષો વીત્યા બાદ પણ વિકાસ વિકાસની વાતો કરતા નેતાઓ હજી આ ગામનેપાકા રોડની સુવિધા અપાવી શક્યા નથી. હાલ ચોમાસામાં કુકરદાથી માંકડઆંબા જવાના કાચા રસ્તે કાદવ કીચડ એટલી હદે થયો છે કે પગપાળા અવરજવર કરવી એ જોખમ ભર્યું છે. કુકરદા શાળામાં જતા વિદ્યાર્થીઓ દરરોજ કાદવ કીચડ ખૂંદીને પસાર થાય છે.

ગ્રામજનો કહે છે કે કાચા રસ્તાથી વિસ્તારના ગ્રામજનો આઝાદ થયા નથી. નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા કુકરદાથી માંકડઆંબા સુધીનો રોડ નવીન બનાવવા સરકારમાં રૂપિયા 6 કરોડની દરખાસ્ત કરી છે. જેને કેટલાય વર્ષ થયા હજુ સરકારે રોડ મંજૂર કર્યો નથી. સાથે સાથે કુકરદાના અન્ય દસ ફળિયાને જોડતા રસ્તા પાકા બનાવવાની પણ માંગ ઉઠી છે.છતાં હજુ સરકારે પાકો રોડ મંજૂર કર્યો નથી. હાલ તો વિસ્તારના લોકો પાકા રસ્તા વગર જાણે 18મી સદીમાં જીવતા હોય તેવી અનુભૂતિ કરી રહ્યાં છે.

Read the Next Article

હાર્દિક પટેલે મુખ્યમંત્રીને કહ્યું કામ નહી થાય તો ઉપવાસ આંદોલન પર બેસી જઇશ

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી

New Update
images

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી.

19

બસ બધુ એની રીતે ચાલ્યા કરે છે. નાગરિકો જે ભોગવતા હોય તે ભોગવ્યા કરે છે. જે લોકો મોજ કરે છે તે મોજ કર્યા કરે છે અને ભગવાન ભરોસે અઠેગઠે બધુ ચાલ્યા જ કરે છે. કોઇ કોઇને કાંઇ કહેતું નથી કોઇ કોઇનું કાંઇ પણ માનતું નથી. આવી સ્થિતિમાં કોઇને સમસ્યા થાય તો પોતાના સંતોષ ખાતર અરજી કરે છે. જો કે કંઇ પણ થતું નથી

વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલનો મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ચિંતા આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. શહેરમાં ઉભરાતી ગટરો, ગંદા પાણી અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. વર્ષોથી ઉભરાતી ગટના કારણે વિરમગામ શરમ અનુભવી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીને ધમકી આપતા લખ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો જનતાની સમસ્યા માટે થઇને તેણે સરકારની વિરુદ્ધ જ ઉપવાસનું આંદોલન કરવું પડશે.

હાર્દિક પટેલે કહ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો વિરમગામના લોકો સાથે મારે મજબૂતાઈથી ઉભા રહેવું પડશે. શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યા. અધિકારીઓ દાદાગીરી કરી રહ્યા છે. જો કામ ન થાય તો જરૂર પડે જનતા સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવુ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.