છોટાઉદેપુર : બોડેલી સહિતના વિસ્તારોમાં MGVCLની ઘોર બેદરકારી, જુઓ સ્થાનિકોએ કેવો કર્યો આક્ષેપ..!

બોડેલી MGVCLના હદ વિસ્તારમાં આવેલ અલીખેરવા, ઢોકલીયા, ચાચક અને બોડેલી પંથકના લોકો MGVCLનો ગંભીર બેદરકારીના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

New Update
છોટાઉદેપુર : બોડેલી સહિતના વિસ્તારોમાં MGVCLની ઘોર બેદરકારી, જુઓ સ્થાનિકોએ કેવો કર્યો આક્ષેપ..!

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી MGVCLની ઘોર બેદરકારી સામે આવી છે. બોડેલી MGVCLના હદ વિસ્તારમાં આવેલ વિવિધ વિસ્તારોમાં જીવેલેણ કહી શકાય તેવા જર્જરિત વીજપોલ, વીજ ટ્રાન્સફોર્મર અને ખુલ્લા વીજ વાયરો રહેણાંક મકાન પાસેથી પસાર લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

બોડેલી MGVCLના હદ વિસ્તારમાં આવેલ અલીખેરવા, ઢોકલીયા, ચાચક અને બોડેલી પંથકના લોકો MGVCLનો ગંભીર બેદરકારીના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. MGVCL કચેરીની પાછળ આવેલ અલીખેરવાનો ફતેનગરનો વિસ્તાર કે, જ્યાં ચારો તરફ વીજ વાયરોના થાંભલા તેમજ ખુલ્લા વીજ વાયરો જોવા મળે છે. એક, બે, નહીં ત્રણ ત્રણ હાઈ ટેન્શન લાઈનો આ વિસ્તારમાંથી પસાર કરવામાં આવી છે. હાઇ ટેન્શન વાયર જે મકાન પરથી પસાર થાય છે, તેની નીચેના મકાન માલિક માટે આ વીજ વાયરો માથાના દુ:ખાવા સમાન બન્યા છે. મકાનની ઉપર જઇ પણ નથી શકાતું. કે, મકાનની ઉપર બીજો માળ પણ લઈ શકાતો નથી.

હવે આપ જોઈ રહ્યા છે, બોડેલી તાલુકાના અલીખેરવામાં આવેલ રામનગરના દ્રશ્યો કે, જ્યાં વર્ષો પહેલાના વીજપોલ જર્જરિત હાલતમાં આવી ગયા છે. વીજપોલમાં તિરાડો પડી ગઈ છે, જે ક્યારે પણ આ વીજપોલ પડી શકે તેમ છે. જે વીજપોલમાં તિરાડો પડી છે, તેને વીજકર્મીઓ મકાન સાથે બાંધી સંતોષ માની લે છે. તો કેટલાક વીજપોલની તિરાડોમાં સિમેન્ટ મારી સમારકામ કરવામાં આવ્યું છે. જો આગામી આગામી ચોમાસા પહેલા આ મામલે યોગ્ય નિકાલ નહીં લાવવામાં આવે તો મોટો અકસ્માત સર્જવાની શક્યતા રહી હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યુ હતું.

તો બીજી તરફ બોડેલીની અમન પાર્ક સોસાઇટીમાં આવેલ વીજ ટ્રાન્સફોર્મરને કોર્ડન કરવાની કાળજી પણ MGVCLએ લીધી નથી. આ વિસ્તારમાં વારંવાર વીજ ફોલ્ટ પણ થતાં રહે છે. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. જોકે, આ મામલે વાયરમેનને પૂછતાં જણાવ્યુ હતું કે, આ વિસ્તારના જે હેલ્પરો છે, તે ઉપરી અધિકારીને જાણ કરે તો રીપેર કરી દેવામાં આવે છે. ખુલ્લા વીજ વાયરો વિષે પણ વાયરમેને કહ્યું હતું કે, આ વાયરો જોખમી છે, પણ ઊંચાઈ પર છે. તેથી કોઈ નુકશાન નહીં થાય તેવો જવાબ આપી લૂલો બચાવ કર્યો હતો.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories