ગિરનાર ફરવા જતાં પ્રવાસીઓ માટે "કપરા" ચઢાણ, જાણો કેમ નહીં કરી શકાય ઉડન-ખટોલાની સફર..!

જુનાગઢ પ્રત્યે પ્રવાસીઓનું વધુ પ્રમાણમાં આકર્ષણ, રોપ-વેથી ગિરનારની ટોચે જનાર શ્રદ્ધાળુઓમાં વધારો

New Update
ગિરનાર ફરવા જતાં પ્રવાસીઓ માટે "કપરા" ચઢાણ, જાણો કેમ નહીં કરી શકાય ઉડન-ખટોલાની સફર..!

દિવાળી જ્યારે નજીક આવી રહી છે, ત્યારે દિવાળી વેકેશનની મજા માળવા સહેલાણીઓ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા હોય છે. અને તેમાં પણ ખાસ કરીને જુનાગઢ ખાતે રોપ-વેમાં સફર કરી ગરવા ગિરનાર સ્થિત મંદિરે દર્શને પહોચે છે.

Advertisment W3.CSS

ગિરનાર રોપ-વે સેવા શરૂ થવાથી વધુ પ્રમાણમાં પ્રવાસીઓનું આકર્ષણ જૂનાગઢ પ્રત્યે વધ્યું છે. ગિરનારની ટોચ પર બિરાજમાન આદ્યશક્તિ માઁ અંબાના દર્શન કરવા રોપ-વે મારફત જનાર શ્રદ્ધાળુઓમાં પણ વધારો થયો છે. જોકે, હવે રોપ-વેના મેન્ટેનન્સને ધ્યાને લઈ ઉષા બ્રેકો કંપની દ્વારા આગામી તા. 10 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે રોપ-વે સેવા બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

આવનાર પ્રવાસીઓને હાલાકી ન પડે તે માટે ઉષા બ્રેકો કંપની દ્વારા અગાઉથી જાણ કરવામાં આવી છે. રોપ-વેના મેન્ટેનન્સ બાદ તા. 16 ઓક્ટોથી રોપ-વે સેવા અહી આવતા સહેલાણીઓ મારે ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે તેવું આયોજન કરાયું છે.

Read the Next Article

અંકલેશ્વર: જીતાલી ગામેથી ગાંજાનો જથ્થો ઝડપાયો, રૂ.54 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ એસ.ઓ જીએ  અંકલેશ્વરના જીતાલી ગામની આલીશાન સોસાયટીમાંથી ગાંજાના જથ્થા સહિત 54.34 લાખનો મુદ્દામાલ સાથે બે મહિલાઓ આરોપીને ઝડપી પાડી હતી.

New Update
  • ભરૂચ સ્પેશ્યલ ઓપરેશ ગ્રુપની કાર્યવાહી

  • અંકલેશ્વરના જીતાલી ગામેથી ઝડપાયો ગાંજો

  • 2 મહિલા આરોપીઓની ધરપકડ

  • રૂ.54 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

  • બન્નેના પતિ વોન્ટેડ જાહેર

Advertisment W3.CSS
ભરૂચ એસ.ઓ જીએ  અંકલેશ્વરના જીતાલી ગામની આલીશાન સોસાયટીમાંથી ગાંજાના જથ્થા સહિત 54.34 લાખનો મુદ્દામાલ સાથે બે મહિલાઓ આરોપીને ઝડપી પાડી હતી.
ભરૂચ એસ.ઓ.જીના પી.એસ.આઈ એમ.એચ.વાઢેર સહિત સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જીતાલી ગામની આલીશાન સિટીમાં રહેતો સુભાષ શિવચંદ યાદવ અને તેનો બનેવી કુંદન મદન રાય તેની પત્ની સાથે ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે.જેવી બાતમીના આધારે પોલીસે આલીશાન સિટીમાં દરોડા પાડ્યા હતા પોલીસ ને 2 સ્થળોએથી 2.221 કિલો ગાંજો મળી આવ્યો હતો.પોલીસે 22 હજારથી વધુની કિંમતનો ગાંજો અને રોકડા 27.17 લાખ તેમજ સોના-ચાંદીના ઘરેણાં મળી કુલ 54.34 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સુમન સુભાષ શિવચંદ યાદવ અને સંજુદેવી કુંદન મદન રાયને ઝડપી પાડી હતી.જ્યારે બેનેના પતિઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.