/connect-gujarat/media/post_banners/e7b7e9a1bb33e94b9ac1dc67449a3c08f2ad915cf3927c4d15124c869b838af2.webp)
દિવાળી જ્યારે નજીક આવી રહી છે, ત્યારે દિવાળી વેકેશનની મજા માળવા સહેલાણીઓ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા હોય છે. અને તેમાં પણ ખાસ કરીને જુનાગઢ ખાતે રોપ-વેમાં સફર કરી ગરવા ગિરનાર સ્થિત મંદિરે દર્શને પહોચે છે.
ગિરનાર રોપ-વે સેવા શરૂ થવાથી વધુ પ્રમાણમાં પ્રવાસીઓનું આકર્ષણ જૂનાગઢ પ્રત્યે વધ્યું છે. ગિરનારની ટોચ પર બિરાજમાન આદ્યશક્તિ માઁ અંબાના દર્શન કરવા રોપ-વે મારફત જનાર શ્રદ્ધાળુઓમાં પણ વધારો થયો છે. જોકે, હવે રોપ-વેના મેન્ટેનન્સને ધ્યાને લઈ ઉષા બ્રેકો કંપની દ્વારા આગામી તા. 10 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે રોપ-વે સેવા બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.
આવનાર પ્રવાસીઓને હાલાકી ન પડે તે માટે ઉષા બ્રેકો કંપની દ્વારા અગાઉથી જાણ કરવામાં આવી છે. રોપ-વેના મેન્ટેનન્સ બાદ તા. 16 ઓક્ટોથી રોપ-વે સેવા અહી આવતા સહેલાણીઓ મારે ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે તેવું આયોજન કરાયું છે.