ગિરનાર ફરવા જતાં પ્રવાસીઓ માટે "કપરા" ચઢાણ, જાણો કેમ નહીં કરી શકાય ઉડન-ખટોલાની સફર..!

જુનાગઢ પ્રત્યે પ્રવાસીઓનું વધુ પ્રમાણમાં આકર્ષણ, રોપ-વેથી ગિરનારની ટોચે જનાર શ્રદ્ધાળુઓમાં વધારો

New Update
ગિરનાર ફરવા જતાં પ્રવાસીઓ માટે "કપરા" ચઢાણ, જાણો કેમ નહીં કરી શકાય ઉડન-ખટોલાની સફર..!

દિવાળી જ્યારે નજીક આવી રહી છે, ત્યારે દિવાળી વેકેશનની મજા માળવા સહેલાણીઓ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા હોય છે. અને તેમાં પણ ખાસ કરીને જુનાગઢ ખાતે રોપ-વેમાં સફર કરી ગરવા ગિરનાર સ્થિત મંદિરે દર્શને પહોચે છે.

ગિરનાર રોપ-વે સેવા શરૂ થવાથી વધુ પ્રમાણમાં પ્રવાસીઓનું આકર્ષણ જૂનાગઢ પ્રત્યે વધ્યું છે. ગિરનારની ટોચ પર બિરાજમાન આદ્યશક્તિ માઁ અંબાના દર્શન કરવા રોપ-વે મારફત જનાર શ્રદ્ધાળુઓમાં પણ વધારો થયો છે. જોકે, હવે રોપ-વેના મેન્ટેનન્સને ધ્યાને લઈ ઉષા બ્રેકો કંપની દ્વારા આગામી તા. 10 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે રોપ-વે સેવા બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે.

આવનાર પ્રવાસીઓને હાલાકી ન પડે તે માટે ઉષા બ્રેકો કંપની દ્વારા અગાઉથી જાણ કરવામાં આવી છે. રોપ-વેના મેન્ટેનન્સ બાદ તા. 16 ઓક્ટોથી રોપ-વે સેવા અહી આવતા સહેલાણીઓ મારે ફરીથી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે તેવું આયોજન કરાયું છે.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.
Latest Stories