કોંગ્રેસે કર્યો “ચક્કાજામ” : અમરેલીમાં અતિવૃષ્ટિના કારણે થયેલ પાક નુકશાનીમાં સર્વે કરી ખેડૂતોને વળતર આપવા માંગ...

અમરેલી જીલ્લામાં અતિવૃષ્ટિના કારણે થયેલા પાક નુકશાનનો સર્વે કરી ખેડૂતોને વળતર આપવાની માંગ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા ચક્કાજામ કરી ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો.

New Update

જીલ્લામાં અતિવૃષ્ટિના કારણે મોટાપાયે પાક નુકશાની

પાક નુકશાનનો સર્વે કરી ખેડૂતોને વળતર આપવા માંગ

કોંગ્રેસ સમિતિ દ્વારા ચક્કાજામ કરી ઉગ્ર દેખાવો કરાયો

ખેડૂતોના દેવા માફી કરવા સાથે કોંગીજનો રસ્તા પર ઉતર્યા

ધારાસભ્યો નિષ્ફળ નિવડ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

અમરેલી જીલ્લામાં અતિવૃષ્ટિના કારણે થયેલા પાક નુકશાનનો સર્વે કરી ખેડૂતોને વળતર આપવાની માંગ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા ચક્કાજામ કરી ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો.

અમરેલી જીલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતો પાયમાલ થયા છેત્યારે હવે પાયમાલ ખેડૂતોની વ્હારે કોંગ્રેસ પક્ષ આવ્યો છે. સાવરકુંડલા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂતોને વળતર આપવાની માંગ સાથે પીપાવાવ-અંબાજી સ્ટેટ હાઇવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેમાં ખેડૂતોને ન્યાય આપોની માંગ સાથે ખેડૂતોના દેવા માફી કરવા સાથે કોંગી કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. એટલું જ નહીંઅમરેલી જિલ્લાને ન્યાય આપવામાં 5 ધારાસભ્યો નિષ્ફળ નિવડ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સાથે જ પાક નુકશાનનો સર્વે કરી ખેડૂતોને વળતર આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.