ગુજરાતમાં કોરોનાના વળતાં પાણી, આજે નોંધાયા માત્ર 84 કેસ
રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
BY Connect Gujarat1 July 2021 3:55 PM GMT
X
Connect Gujarat1 July 2021 3:55 PM GMT
રાજ્યમાં કોરોનાની બીજી લહેર હવે શાંત થઈ ચૂકી છે અને નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અમદાવાદ શહેર, અમદાવાદ અને સુરત જિલ્લામાં 1-1 મળીને કુલ 3 દર્દીના મોત થયા છે. બીજી વેવમાં રાજ્યમાં સતત ચોથીવાર 100થી ઓછા કેસ નોઁધાયા છે. 16 જિલ્લા અને બે કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રાજ્યમાં 24 કલાકમાં 84 નવા કેસ નોંધાયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 23 હજાર 607ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 62 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 10 હજાર 751 દર્દી ડિસ્ચાર્જ થયા છે રાજ્યમાં હાલ 2 હજાર 794 એક્ટિવ કેસ છે.
Next Story