ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ફરી એક વખત વધારો થયો છે. રાજ્યમાં આજે નવા 165 કેસ નોંધાયા છે. આ સાથે જ 77 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1214663 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે.
બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.03 ટકાએ પહોંચી ચુક્યો છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 43539 રસીના ડોઝ અપાયા હતા. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 920 એક્ટિવ કેસ છે. જે પૈકી એક નાગરિક વેન્ટિલેટર પર છે. 919 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,663 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસથી 10,945 નાગરિકોનાં મોત થયા છે. રાજ્યમાં આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું.
અમદાવાદ કોર્પોરેશનમાં 90, વડોદરા કોર્પોરેશન 19 , સુરત કોર્પોરેશનમાં 12, ગાંધીનગર કોર્પોરેશન 10, ભાવનગર કોર્પોરેશનમાં 6, જામનગર કોર્પોરેશન 4, મહેસાણા 3, નવસારી 3, વડોદરા 3, વલસાડ 3, અમદાવાદ 2, અમરેલી 2, આણંદ 2, ભરુચ 2, કચ્છ 2, બનાસકાંઠા 1 અને જામનગરમાં 1 કેસ નોંધાયો છે.