ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યુ, જો કે ભારે પવન અને વરસાદનાઇ આગાહી યથાવત

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઇ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે

New Update
ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ ટળ્યુ, જો કે ભારે પવન અને વરસાદનાઇ આગાહી યથાવત

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઇ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે

અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઇ ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. તાલુકાકક્ષાના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યનાં તમામ બંદરો પર ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યાં છે. દરિયા કિનારે અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે. જોકે, બીજી તરફ અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે તેવી વાતનો હાલ પૂરતો અંત આવી ગયો હોય તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.. આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતના કિનારે વાવાઝોડું ટકરાશે નહીં, એટલે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ હાલ પૂરતું અટકી ગયું છે. આગામી દિવસમાં નક્કી થશે કે, વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે કે અન્ય તરફ ફંટાયું છે.અમરેલી કલેક્ટર અજય દહીયાએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા તમામ તૈયારી કરી દેવાઇ છે. રાજુલા અને જાફરાબાદના દરિયાઈ વિસ્તારમાં અમારી ટીમ એક્ટિવ છે.12 તારીખ સુધીમાં પવનની સ્પીડ પ્રતિકલાક 55 કિ.મી સુધી થશે. અમે પીપાવાવ કોસ્ટગાર્ડ વહીવટી તંત્ર દરિયા કિનારે સીધી નજર રાખી રહ્યા છે. વાવાઝોડા સામે તંત્રીની પુરી તૈયારી છે.

Read the Next Article

જગન્નાથજીની 148મી રથયાત્રા માટે જળયાત્રાનો શુભારંભ, વિધિવત થશે જળાભિષેક

અમદાવાદમાં 148મી રથયાત્રા માટેના પરંપરાગત વિધિ વિઘાન શરૂ થઇ ગયા છે. આજે જલયાત્રાથી તેનો શુભારંભ શરૂ થઇ ગયો છે. 14 ગજરાજ અને હાથી, ધજા-પતાકા સાથે યાત્રા સાબરમતી નદી કિનારે જવા નીકળી છે.

New Update
રથ યાત્રા

અમદાવાદમાં 148મી રથયાત્રા માટેના પરંપરાગત વિધિ વિઘાન શરૂ થઇ ગયા છે. આજે જલયાત્રાથી તેનો શુભારંભ શરૂ થઇ ગયો છે. 14 ગજરાજ અને હાથી, ધજા-પતાકા સાથે યાત્રા સાબરમતી નદી કિનારે જવા નીકળી છે.

સાબરમતી સોમનાથના આરે  જળયાત્રા પહોંચશે. સાબરમતી નદીમાં કરવામાં પહેલા  ગંગા પૂજન કરવામાં આવશે. 108 કળશમાં  સાબરમતી નદીનું પાણી લાવવામાં આવશે. સવારે 10 વાગ્યે ભગવાનનો મહાજળાભિષેક કરવાનું શુભ મૂહૂર્ત છે. બપોરે 12 વાગ્યે મંદિર પરિસરમાં મહાપ્રસાદનું આયોજન છે. 

વર્ષોથી પરંપરાગત રીતે અમદાવાદામાં અષાઢી બીજે  જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. આ પહેલા દર વર્ષે વિધિવત જળયાત્રા યોજાઇ છે. દર જેઠ સુદ પૂનમે   108 કળશની જળયાત્રાનું આયોજન કરવામાં આવે છે.  આ જલયાત્રા સવારે મંદિરથી શરૂ થાય છે. જેમાં ગજરાજા અને 108 કળશ લઇને મહિલાઓ રથયાત્રામાં જોડાઇ છે. આ યાત્રા  સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોંચે છે. ભૂદરના આરે ગંગાપૂજન કરવામાં આવે છે. બાદ 108 કળશમાં સાબરમતીની જળભરીને વાજતે ગાજતે  યાત્રા ફરી મંદિર પહોંચે છે અને બાદ ભગવાનનો દૂધ કેસર પંચામૃતથી સ્નાન કરાવીને જલાભિષેક કરાવાયા છે.

આ જલયાત્રા અંગે મહારાજ દિલીપ દાસે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાના પવિત્ર અવસર પહેલા જ જલયાત્રા મહોત્સવ જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભગવાન જગન્નાથને સાબરમતી નદીના પાણીથી ભરેલા 108 કળશમાં સ્નાન કરાવવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે. આ ઉત્સવનું આયોજન અનેક ભક્તો, સંતો, મહંતો અને રાજ્યના મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવી રહ્યું છે.

Latest Stories