દાહોદ : લીમખેડામાં સ્મશાનના અભાવે મૃતકના સ્વજનો નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા..!

દાહોદ જિલ્લાના લીમખેડામાં સ્મશાનના અભાવે મૃતકના સ્વજનો નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા હતા, ત્યારે વહેલીતકે સ્મશાન બને તેવી ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.

New Update
  • લીમખેડાના અંતરિયાળ ગામોમાં સ્મશાનનો અભાવ

  • સ્મશાન નહીં હોવાથી મૃતકના સ્વજનોને પડી હાલાકી

  • નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા લોકોની મજબૂરી

  • આઝાદીના વર્ષો બાદ પણ સ્મશાનનો અભાવ : સ્થાનિક

  • વહેલીતકે સ્મશાન બને તેવી ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ

દાહોદ જિલ્લાના લીમખેડામાં સ્મશાનના અભાવે મૃતકના સ્વજનો નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા હતાત્યારે વહેલીતકે સ્મશાન બને તેવી ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.

દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ સરકારનો વિકાસ ફરક્યો નથીત્યારે વરવી વાસ્તવિકતા દર્શાવતા દ્રશ્યો લીમખેડા તાલુકામાંથી સામે આવ્યા છેજ્યાં નદીના પટમાંથી મૃતકના સ્વજનો અર્થી લઈને પસાર કરતા નજરે પડ્યા હતા. એટલું જ નહીંસ્મશાનના અભાવે મૃતકના સ્વજનો નદીના પટમાં જ અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા હતા. આ મામલે લોકોનું કહેવું છે કેઆઝાદીના આટલા વર્ષો બાદ પણ આ વિસ્તારમાં સ્મશાન બન્યું નથીજ્યાં પ્રજાપતિ સમાજઆદિવાસી સમાજના લોકો હડફ નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે. જોકેવર્ષોથી સ્મશાન બનાવવાની લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. તેમ છતા તંત્ર દ્વારા સ્મશાન બનાવવાની કામગીરી કરવામાં આવી નથીત્યારે હવે વહેલીતકે સ્મશાન બને તેવી ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી છે.

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.