-
લીમખેડાના અંતરિયાળ ગામોમાં સ્મશાનનો અભાવ
-
સ્મશાન નહીં હોવાથી મૃતકના સ્વજનોને પડી હાલાકી
-
નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા લોકોની મજબૂરી
-
આઝાદીના વર્ષો બાદ પણ સ્મશાનનો અભાવ : સ્થાનિક
-
વહેલીતકે સ્મશાન બને તેવી ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ
દાહોદ જિલ્લાના લીમખેડામાં સ્મશાનના અભાવે મૃતકના સ્વજનો નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા હતા, ત્યારે વહેલીતકે સ્મશાન બને તેવી ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.
દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ સરકારનો વિકાસ ફરક્યો નથી, ત્યારે વરવી વાસ્તવિકતા દર્શાવતા દ્રશ્યો લીમખેડા તાલુકામાંથી સામે આવ્યા છે, જ્યાં નદીના પટમાંથી મૃતકના સ્વજનો અર્થી લઈને પસાર કરતા નજરે પડ્યા હતા. એટલું જ નહીં, સ્મશાનના અભાવે મૃતકના સ્વજનો નદીના પટમાં જ અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા હતા. આ મામલે લોકોનું કહેવું છે કે, આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ વિસ્તારમાં સ્મશાન બન્યું નથી, જ્યાં પ્રજાપતિ સમાજ, આદિવાસી સમાજના લોકો હડફ નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે. જોકે, વર્ષોથી સ્મશાન બનાવવાની લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. તેમ છતા તંત્ર દ્વારા સ્મશાન બનાવવાની કામગીરી કરવામાં આવી નથી, ત્યારે હવે વહેલીતકે સ્મશાન બને તેવી ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી છે.