દાહોદ : લીમખેડામાં સ્મશાનના અભાવે મૃતકના સ્વજનો નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા..!

દાહોદ જિલ્લાના લીમખેડામાં સ્મશાનના અભાવે મૃતકના સ્વજનો નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા હતા, ત્યારે વહેલીતકે સ્મશાન બને તેવી ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.

New Update
  • લીમખેડાના અંતરિયાળ ગામોમાં સ્મશાનનો અભાવ

  • સ્મશાન નહીં હોવાથી મૃતકના સ્વજનોને પડી હાલાકી

  • નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા લોકોની મજબૂરી

  • આઝાદીના વર્ષો બાદ પણ સ્મશાનનો અભાવ : સ્થાનિક

  • વહેલીતકે સ્મશાન બને તેવી ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ

દાહોદ જિલ્લાના લીમખેડામાં સ્મશાનના અભાવે મૃતકના સ્વજનો નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા હતાત્યારે વહેલીતકે સ્મશાન બને તેવી ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી છે.

દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ સરકારનો વિકાસ ફરક્યો નથીત્યારે વરવી વાસ્તવિકતા દર્શાવતા દ્રશ્યો લીમખેડા તાલુકામાંથી સામે આવ્યા છેજ્યાં નદીના પટમાંથી મૃતકના સ્વજનો અર્થી લઈને પસાર કરતા નજરે પડ્યા હતા. એટલું જ નહીંસ્મશાનના અભાવે મૃતકના સ્વજનો નદીના પટમાં જ અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા હતા. આ મામલે લોકોનું કહેવું છે કેઆઝાદીના આટલા વર્ષો બાદ પણ આ વિસ્તારમાં સ્મશાન બન્યું નથીજ્યાં પ્રજાપતિ સમાજઆદિવાસી સમાજના લોકો હડફ નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે. જોકેવર્ષોથી સ્મશાન બનાવવાની લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. તેમ છતા તંત્ર દ્વારા સ્મશાન બનાવવાની કામગીરી કરવામાં આવી નથીત્યારે હવે વહેલીતકે સ્મશાન બને તેવી ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી છે.

Read the Next Article

અમરેલી : ધોબા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા 5 લોકોના SDRF’ની ટીમે રેસક્યું કર્યા...

ભારે વરસાદની આગાહીના પગલે રેડ ઝોનમાં આવતા અમરેલી જીલ્લામાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતીને પહોચી વળવા સરકાર દ્વારા SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

New Update
  • ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાત સરકાર સજ્જ

  • રેડ ઝોનમાં આવતા અમરેલી જીલ્લામાં તંત્રની કામગીરી

  • કોઈપણ વિકટ પરિસ્થિતીને પહોચી વળવા તંત્ર કટિબદ્ધ

  • સાવરકુંડલામાં SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી

  • પાણીમાં ફસાયેલા અનેક લોકોના રેસક્યું ઓપરેશન કરાયા

ભારે વરસાદની આગાહીના પગલે રેડ ઝોનમાં આવતા અમરેલી જીલ્લામાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતીને પહોચી વળવા સરકાર દ્વારા SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.

ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત સાથે જ ગત મોડી રાતે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતોત્યારે અમરેલી જીલ્લામાં પણ ધોધમાર વરસાદના કારણે વિવિધ સ્થળોએ પાણી ભરાયા હતા. જેને લઇ અનેક લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફભારે વરસાદની આગાહીના પગલે રેડ ઝોનમાં આવતા અમરેલી જીલ્લામાં સરકાર દ્વારા SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છેજ્યારે વરસાદથી સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા 10 ઇંચ જેટલા વરસાદના પગલે પૂર પ્રકોપથી ધોબા ગામે પરપ્રાંતીય મજૂરો મેરામણ નદીના પ્રવાહથી ફસાઈ ગયા હતાત્યારે SDRFની ટીમે પાણીના ધસમસતા પ્રવાહમાં જઈને 5 માનવ જિંદગીઓ બચાવી હતી.

હજુ પણ અમરેલી રેડઝોનમાં આવતું હોયજેને લઈને આસપાસમાં રાજુલાજાફરાબાદ અને દરિયાઈ કાંઠા વિસ્તારો હોવાથી SDRFની એક 24 જવાનોની ટીમને પીએસઆઈ અધિકારી સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ માનવ જિંદગીઓ બચાવવા SDRF સક્ષમ સાબિત થતી હોય છેત્યારે રેસ્ક્યુ ઓપરેશનો કરી માનવ જિંદગી બચાવવાના અભિગમ સાથે એક બોટહેવી લાઇટકટર મશીનો સહિતની આધુનિક સાધન સામગ્રી સાથે SDRFની ટીમ અમરેલી જિલ્લાના મધ્યબિંદુ સાવરકુંડલામાં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.