કઠલામાં સામૂહિક આપઘાતથી અરેરાટી
બે પુત્રો સાથે પિતાએ કર્યો આપઘાત
ઝાડ પર લટકીને જીવન લીલા સંકેલી
મૃતક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો
પોલીસે આપઘાત અંગે શરૂ કરી તપાસ
દાહોદ તાલુકાના કઠલા ગામે સામુહિક આત્મહત્યાની એક હૃદયદ્રાવક ઘટના આવી સામે છે, જ્યાં પિતાએ પોતાના બે પુત્ર સાથે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
દાહોદના કઠલા ગામમાં રહેતા અને ગુજરાતમાં મજુરી કામ કરતો અરવિંદ હિમલાભાઈ વહોનિયાને સંતાનમાં બે બાળકો અને એક બાળકી હતી.જેમાં અરવિંદ વહોનિયા બે દિવસ પહેલા ગુજરાતથી મજુરી કામ કરી પોતાના વતન કઠલા ગામે આવ્યા હતા.તેમના પરિવાર સાથે અને બીજા દિવસે પોતાની બહેનને મળવા મધ્યપ્રદેશના માંડલી ગામે ગયા હતા. ત્યાંથી તેની બહેનની ત્યાંથી નીકળી પરત ઘરે આવ્યા નહોતા. પરિવારજનો તેમની શોધખોળમાં લાગ્યા હતા,અને આજે જયારે કઠલા ગામના છાયણ ફળિયામાં ખેતરમાં ઝાડ સાથે બે બાળકો અને યુવક ફાંસો ખાધેલી હાલતમાં લટકતા હોવાની જાણકારી મળતા લોકો ત્યાં એકઠા થયા હતા.જ્યાં તેમની બાઈક પણ ઘટના સ્થળેથી મળી આવી હતી.આ મરણ જનારની તપાસ આદરતા અરવિંદ વહોનિયા અને તેના બે બાળકો 8 વર્ષીય રવિ વોહનિયા અને 6 વર્ષીય સુરેશ વોહનિયા હોવાનું જાણકારી મળી હતી, જે અંગે જાણ થતા જ મૃતકના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા કતવારા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે પરિવારજનોની હાજરીમા પંચનામું કરી પિતા-પુત્રોના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. જોકે મરણ જનાર યુવકે પોતાના બે બાળકો સાથે શા માટે આપઘાત કર્યો તે રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.