દાહોદ: જવેલર્સના રૂ.20 લાખની બેગ પાનની દુકાનનો સંચાલક ઇરાદાપૂર્વક ઘરે લઇ જતા ભેરવાયો,પોલીસે કરી ધરપકડ

દાહોદમાં પાનની દુકાન ઉપર જવેલર્સ 20 લાખ રૂપિયા રોકડા ભરેલી થેલી ભૂલી ગયો હતો,જોકે પાનની દુકાનના સંચાલકે ઇરાદાપૂર્વક આ થેલી ઘરે લઇ જઈને તિજોરીમાં મૂકી દીધી હતી,

New Update
  • જવેલર્સ રૂ.20 લાખની થેલી ભૂલી જવાનો મામલો

  • પાનની દુકાને જવેલર્સ રૂપિયા ભરેલી થેલી ભૂલી ગયો હતો

  • દુકાનના સંચાલક રૂપિયા ઘરે લઇ જતા સલવાયો

  • પોલીસ ફરિયાદ બાદ થયું દૂધનું દૂધ પાણીનું પાણી

  • પોલીસે રૂ.20 લાખ સાથે પાનની દુકાનના સંચાલકની કરી ધરપકડ 

Advertisment

દાહોદમાં પાનની દુકાન ઉપર જવેલર્સ 20 લાખ રૂપિયા રોકડા ભરેલી થેલી ભૂલી ગયો હતો,જોકે પાનની દુકાનના સંચાલકે ઇરાદાપૂર્વક આ થેલી ઘરે લઇ જઈને તિજોરીમાં મૂકી દીધી હતી,મામલો પોલીસ મથકે પહોંચતા LCB પોલીસે 20 લાખ રૂપિયા સાથે પાનની દુકાનના સંચાલકની ધરપકડ કરી હતી.

દાહોદના એમજી રોડ ઉપર નંદન જ્વેલર્સ નામની દુકાનમાં કામ કરતા સારવ શાહ ગત તારીખ 11 જાન્યુઆરી શનિવારના રોજ 20 લાખ રૂપિયા રોકડા સોમવારના દિવસે બેંકમાં ભરવાના હોવાથી તેઓ સાંજના સમયે ઘરે લઈ જવા માટે નીકળ્યા હતા,અને જૂની કોર્ટ રોડ ઉપર આવેલી કોહિનૂર પાનની દુકાન ઉપર પાન મસાલો ખાવા ઉભા થયા ત્યારે તેમના હાથમાં નંદન જ્વેલર્સ નામની થેલીમાં 20 લાખ રૂપિયા રોકડા ભરેલી થેલી પાનની દુકાન ઉપર મુકી હતી,અને ફરિયાદી સારવ શાહ 20 લાખ રૂપિયા ભરેલી થેલી પાનની દુકાન ઉપર મૂકીને ભૂલીને ઘરે જવા નીકળી ગયા હતા.

જ્યારે ઘરે ગયા ત્યારે તેમની પાસે રહેલી 20 લાખ રૂપિયા રોકડા ભરેલી થેલી જોવા ન મળતા તેઓએ તપાસ આદરી હતી અને કોહિનૂર પાનની દુકાન ઉપર જઈને પૂછતાછ કરતા પાનની દુકાનના સંચાલક સલાઉદ્દીન નસરુદ્દીન મલેક દ્વારા થેલી જોઈ ન હોવાનું જણાવ્યું હતું,જોકે ત્યારે બાદ સારવ શાહે ડિવિઝન પોલીસ મથકમાં 20 લાખ રૂપિયા રોકડા ચોરાયા હોવાની ફરિયાદ આપી હતી.જ્યારે આ કેસની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા ડો.રાજદીપસિંહ ઝાલાએ LCB પોલીસને તપાસના આદેશ આપ્યા હતા,અને LCB પોલીસની અલગ અલગ ટીમોએ નેત્રમના CCTV કેમેરા તથા ખાનગી કેમેરાઓ ખંગોળવાની તપાસ શરૂ કરી હતી.

જેમાં એમ જી રોડથી લઈને જૂની કોર્ટ રોડ ઉપર આવેલી કોહિનૂર પાનની દુકાન સુધીના કેમેરા જોતા પોલીસને પાનની દુકાનના માલિક સલાઉદ્દીન નસરુદ્દીન મલેક ઉપર શંકા જતા તેઓને LCB પોલીસ મથકે પુછપરછ અંગે લવાયા હતા.જ્યાં પોલીસની પૂછપરછ દરમિયાન પાનની દુકાનનો માલિક ભાંગી પડ્યો હતો,અને 20 લાખ રૂપિયાની થેલી પોતાના ઘરે તિજોરીમાં મૂકી દીધી હોવાની કબૂલાત કરી હતી.અને પોલીસે રૂપિયા 20 લાખ રિકવર કરીને  આરોપી સલાઉદ્દીન નસરુદ્દીન મલેકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી.  

Advertisment
Read the Next Article

વલસાડ : કપરાડાના વારણા ગામમાં બે યુવતીઓએ એક જ ઝાડ અને દોરીથી ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી

એક ઝાડ પર એક જ દોરીથી બે યુવતીઓના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી.ઘટના અંગે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

New Update
  • કપરાડામાં બે યુવતીઓના રહસ્યમય આપઘાત

  • એક ઝાડ અને એક દોરીથી ગળે ફાંસો ખાધો

  • ઘટનાને પગલે પંથકમાં મચી સનસનાટી

  • બંને યુવતીઓ એક જ કંપનીમાં કરતી હતી કામ

  • પોલીસે ઘટનાનો ભેદ ઉકેલવા માટે શરૂ કરી કવાયત

Advertisment

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના છેવાડે આવેલા વારણા ગામ નજીક  એક ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી.એક ઝાડ પર એક જ દોરીથી બે યુવતીઓના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઈ હતી.ઘટના અંગે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વારણા ગામ અને જીરવલ ગામની હદ પર એક જ દોરી પર બે યુવતીઓનો ગળે ફાંસો ખાધેલી  હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. ગ્રામજનો આ દ્રશ્ય જોતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.બનાવની જાણ થતા જ મોટી સંખ્યામાં સ્થાનિકોનું ટોળું એકઠું થયું હતું. અને આ અંગે પોલીસને જાણ કરી હતી.ઘટનાની જાણ થતા જ કપરાડાના નાનાપોંઢા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.અને ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.પ્રાથમિક તપાસમાં મૃતક યુવતીઓમાં એક યુવતી નીલોસી ગામ અને એક યુવતી કેતકી ગામની હોવાનું બહાર આવ્યું છે. આ બંને યુવતીઓ મિત્ર હતી.અને દાદરાની એક કંપનીમાં સાથે કામ કરતી હોવાનું બહાર આવી રહ્યું છે.

આ રહસ્યમય આપઘાત અંગેની જાણકારી મળતા જ  નાનાપોંઢા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.અને બંને મૃતક યુવતીઓની ઓળખ કરી હતી.જેમાં અંજના લક્ષીભાઈ અને  નીલોસી ગામની નીતા હોવાનું બહાર આવ્યું છે.બંનેની ઓળખ થતા જ પોલીસે બંને મૃતક યુવતીઓના પરિવારજનોને જાણ કરી હતી.અને સ્થાનિક લોકોની હાજરીમાં બંનેના મુદ્દે નીચે ઉતારી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ઝાડની ડાળીએ એક જ દોરીથી બંને યુવતીઓ એક સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ યુવતીઓએ આપઘાત કર્યો છે કે તેમના મોતનું કોઈ અન્ય કારણ છે.તેનું રહસ્ય ઘેરાયું છે.અને પોલીસે આ મામલે મૃતકના પરિવારજનો અને સાથે કામ કરતા અન્ય સહકર્મીઓની સાથે આસપાસના લોકોની પણ પૂછપરછ હાથ ધરી ઘટનાનો ભેદ ઉકેલવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisment