દાહોદ : 31stને લઈને તમામ ચેકપોસ્ટ પર પોલીસ તૈનાત, ડ્રોન કેમેરા અને બ્રીથ એનાલાઈઝરથી સઘન ચેકિંગ…

થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતી તમામ બોર્ડરો પર રાજ્યના પોલીસ વિભાગ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે,

New Update
  • 31stની ઉજવણીને લઈને યુવાધનમાં છવાયો અનેરો ઉત્સાહ

  • ગુજરાત રાજ્યની બોર્ડરો પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ

  • ઝાલોદ નજીક ઘાવડિયા ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરાયું

  • પોલીસે આવતા-જતાં તમામ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું

  • બ્રીથ એનાલાઈઝર અને ડ્રોન કેમેરાથી પોલીસ દ્વારા ચેકિંગ

થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતી તમામ બોર્ડરો પર રાજ્યના પોલીસ વિભાગ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છેત્યારે દાહોદ જિલ્લાના ઝાલોદ ગામ નજીક આવેલ ઘાવડિયા ચેકપોસ્ટ પર પોલીસે તમામ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું.

નવા વર્ષ 2025ને આવકારવા યુવાધનમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફથર્ટી ફર્સ્ટને લઈને અનેક પાર્ટીઓના પણ આયોજનો પણ થવાના છે. થર્ટી ફર્સ્ટની રાત્રે લોકો નશાકારક દ્રવ્યોનું સેવન કરી નશામાં ધૂત થાય તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા રાજ્યભરમાં પોલીસ વિભાગ સજ્જ બન્યું છેત્યારે થર્ટી ફર્સ્ટને લઈ ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતી તમામ બોર્ડરો પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. તેવામાં દાહોદ જિલ્લા પોલીસવડા ડો. રાજદીપસિંહ ઝાલાના આદેશ અનુસાર પોલીસ જવાનોએ ચેકિંગ હાથ ધર્યું છે. ગુજરાત અને રાજસ્થાનને જોડતી બોર્ડર પર આવેલ દાહોદના ઝાલોદ ગામ નજીક ઘાવડિયા ચેકપોસ્ટ પર પોલીસે તમામ વાહનોનું ચેકિંગ તેમજ વાહનમાં સવાર લોકો નશામાં છે કેકેમ તે માટે બ્રીથ એનાલાઈઝરજ્યારે ડ્રોન કેમેરા વડે બોર્ડરો ઉપર પણ સતત બાજ નજર રાખવામાં આવી રહી છે. દાહોદ જિલ્લા પોલીસવડાની સાથે સ્થાનિક પોલીસLCB, SOGની ટીમ પણ જોડાઈ હતી.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.