દાહોદ : ઇન્દોર દાહોદ રોડ પરિયોજના અંતર્ગત દાહોદ-કતવારા રેલલાઇન ઓક્ટોબરમાં શરૂ, 2026 સુધી યોજના પૂર્ણ કરાશે

દાહોદ ઇન્દોર રેલ પરીયોજનાનું કામ કોરોના કાળમાં તમામ ટેન્ડરો રદ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે આ યોજનાને હોલ્ડ પર મૂકી દેવામાં આવી હતી.

New Update
દાહોદ : ઇન્દોર દાહોદ રોડ પરિયોજના અંતર્ગત દાહોદ-કતવારા રેલલાઇન ઓક્ટોબરમાં શરૂ, 2026 સુધી યોજના પૂર્ણ કરાશે

દાહોદ ઇન્દોર રેલ પરીયોજનાનું કામ કોરોના કાળમાં તમામ ટેન્ડરો રદ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે આ યોજનાને હોલ્ડ પર મૂકી દેવામાં આવી હતી. પરંતુ રેલ્વે મંત્રાલયના પ્રયાસોથી રેલ બજેટમાં 200 કરોડની માતબર રકમની ફાળવણી કરી આ યોજનાને પુનઃ શરૂ કરવાનાં નિર્દેશો કર્યા

દાહોદ ખાતે રતલામ મંડળના ડી.આર.એમ વિનીત ગુપ્તા વર્કશોપમાં નિરીક્ષણ કરવા પહોચ્યા હતા ત્યારે દાહોદ ઇન્દોર રેલ પરીયોજનાનું કામ કોરોના કાળમાં તમામ ટેન્ડરો રદ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે આ યોજનાને હોલ્ડ પર મૂકી દેવામાં આવી હતી. જોકે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની રજુઆત તેમજ રેલ્વે મંત્રાલયના પ્રયાસોથી રેલ બજેટમાં 200 કરોડની માતબર રકમની ફાળવણી કરી આ યોજાનાને પુનઃ શરૂ કરવાનાં નિર્દેશો કર્યા હતા.હાલ દાહોદ ઇન્દોર રેલ પરીયોજનાનું કાર્ય ઇન્દોર તરફથી પૂર જોશમાં ચાલી રહ્યું છે.અને ઇન્દોર થી 21 કિલોમીટરની રેલ લાઈન નાખી દેવામાં આવી છે.જયારે દાહોદથી કતવારા સુધીની રેલ લાઈન નખાઈ જતા ઓક્ટોબર સુધીમાં દાહોદ થી કતવારા સુધી રેલ લાઈન શરૂ કરી દેવામાં આવશે. રેલ્વે તંત્ર દ્રારા આગામી 2026 સુધીમાં ઇન્દોર રેલ પરીયોજનાનું કામ પૂર્ણ કરી આ રેલ માર્ગ પર ટ્રેન દોડતી થશે.