દાહોદ : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીનું ટ્રેન નીચે પડતું, તો મુવાલિયા ડેમમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર..!

દાહોદ જીલ્લાના મંડાવાવ ગામ નજીક રેલ્વે ટ્રેક ઉપર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીએ ટ્રેન નીચે પડતું મુક્યું હતું.

New Update
દાહોદ : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીનું ટ્રેન નીચે પડતું, તો મુવાલિયા ડેમમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર..!

દાહોદ જીલ્લાના મંડાવાવ ગામ નજીક રેલ્વે ટ્રેક ઉપર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારીએ ટ્રેન નીચે પડતું મુક્યું હતું. તો બીજી તરફ, મુવાલિયા ડેમમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

Advertisment

મળતી માહિતી અનુસાર, દાહોદના ઇન્દોર અમદાવાદ હાઇવે નજીક શ્રીજી સોસાયટીમાં રહેતા અને જિલ્લા ગ્રામ એજન્સીમાં છેલ્લા 12 વર્ષથી નોકરી કરતા ઘનશ્યામ નટવરલાલ પટેલએ મંડાવાવ ગામ નજીક રાત્રીના જે તે સમયે અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેક પર પડતું મુકી આપઘાત કર્યા હોવાનું જાણવા મળેલ છે. રેલ્વે ટ્રેક પર પડતું મૂકી આપઘાત કર્યા હોવાની જાણ દાહોદ રલ્વે રાજકીય પોલીસને તથા રેલ્વે રાજકીય પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો મેળવી ખાનગી એમ્યુલેન્સ મારફતે મૃતદેહને PM અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે તાલુકા પોલીસ દ્વારા પરીવાર જનોથી પૂછતાજ કરી અકસ્માતના મોતના ગુન્હાના કાગળો કરી આગળની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

તો બીજી તરફ, દાહોદના મુવાલિયા ડેમમાં બપોરના સમયે ગામના લોકોને પાણીમાં તારાઓ મૃતદેહ જોવા મળતા ગામના લોકોએ દાહોદ તાલુકા પોલીસને જાણ કરી હતી. જે બાદ તાલુકા પોલીસનો કાફલો મુવાલિયા ડેમમાં તપાસ અર્થે ઘસી ગયો હતો, અને અજાણ્યા યુવકનો મૃતદેહ પાણીમાં તરતો જોવા મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. તાત્કાલીક ફાયરના જવાનોને મુવાલિયા ડેમમાં અજાણ્યા યુવકની ડેડબોડી હોવાનું જણાવ્યું હતું, અને ફાયરના જવાનો મુવાલિયા ડેમ ખાતે ઘસી ગામના લોકોની મદદથી મૃતદેહને બહાર કાઢવા માટે લાકડાની નાવડી લઈને ગયા હતા. જેમાં ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી અને ઝાયડસ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે આગળની કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારે હાલ તો પોલીસે મરણ જનાર યુવકની મોતનું તારણ જાણવા માટે કાર્યવાહી હાથ ધરી છે. જોકે, મૃતક યુવક કયા ગામનો છે, કોણ છે, કેવી રીતે આ ઘટના બની તેની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisment
Read the Next Article

રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લોપ્રેશર આગામી એક બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે

New Update
aaagagahi

રાજ્યમાં આગામી ચાર દિવસ તોફાની વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે ગુજરાત નજીક અરબ સાગરમાં સર્જાયેલું લોપ્રેશર આગામી એક બે દિવસમાં ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે.

Advertisment

જેના પગલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 થી 25 તારીખ દરમિયાન વિવિધ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

નોંધનીય છે કે, બુધવારે રાજ્યમાં 48 કરતા કરતા વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ નુકસાનીના દૃશ્યો પણ જોવા મળ્યા હતા. હવામાન વિભાગે ગુરૂવારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે.

મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુર, મહીસાગર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો તો કડાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. છોટાઉદેપુરના ક્વાંટ, નર્મદાના નાંદોદ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે, મુંબઈ-ગોવા પર બનેલી સિસ્ટમ ચક્રવાતમાં બદલાશે. 22 મી મે સુધીમાં લો-પ્રેશર સિસ્ટમ ચક્રવાતમાં ફેરવાશે. વાવાઝોડું 24થી 28 મે વચ્ચે ગુજરાત પહોંચી જશે. મહારાષ્ટ્રના ભાગોમાં 15થી 20 ઈંચ વરસાદ ખાબકશે. ગુજરાતના ખેડૂતો પર માવઠાના માર બાદ હવે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. અંબાલાલ પટેલનો દાવો છે કે ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેમાં અનરાધાર વરસાદ તો થશે જ, સાથે જ 100 કિમી પ્રતિકલાકની ઝડપથી તોફાની પવન પણ ફૂંકાશે. દક્ષિણ ગુજરાતમાં ભયાનક પૂરની સ્થિતિ આવી શકે છે. ડાંગ, આહવા, વલસાડમાં 10થી 12 ઈંચ વરસાદ થશે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ભારે વરસાદ થશે.

Advertisment
Latest Stories