“ડીસા” અગ્નિકાંડની તપાસ : SITના અધ્યક્ષે અધિકારીઓ સાથે બેઠક યોજી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું...

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા 21 લોકોના મોત થયા છે, 

New Update
  • ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં આગની ઘટનાનો મામલો

  • 21 લોકોના મોતજ્યારે અન્ય ઇજાગ્રસ્તો સારવાર હેઠળ

  • કેસની તપાસ અર્થે કરવામાં આવી છેSITની રચના

  • SITના અધ્યક્ષ સહિતનો કાફલો ડીસા ખાતે પહોચ્યો

  • અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર માહિતી મેળવી

બનાસકાંઠા જિલ્લાઆગ ના ડીસામાં ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ ફાટી નીકળતા 21 લોકોના મોત થયા છેત્યારે આ કેસની તપાસ અર્થે SIT અધ્યક્ષ ભાવિન પંડ્યા સહિતનો કાફલો ડીસા ખાતે દોડી આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) આજે ડીસા પહોંચી હતી. આ બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા હતા. તપાસ ટીમે ડીસા સર્કિટ હાઉસમાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના અધિકારીઓ સાથે પ્રાથમિક બેઠક યોજી હતી. આ બેઠકમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશાલ વાઘેલાફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડિરેક્ટર એચ.પી.સંઘવીમાર્ગ અને મકાન વિભાગના ચીફ એન્જિનિયર જે.એ.ગાંધી સહિત ટેક્નિકલ એક્સપર્ટ તેમજ ફોરેન્સિક એક્સપર્ટની ટીમે ઉપસ્થિત રહી બ્લાસ્ટ કેસની વિગતવાર માહિતી મેળવી હતી.

સૌપ્રથમ એક્સપ્લોઝિવએક્ટ અને નિયમ અનુસાર ગોડાઉનમાં કામ થતું હતું કેનહીં. તેમજ કયા કારણોસર બ્લાસ્ટ થયો તે અંગેSIT દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. ડીસા બ્લાસ્ટ મામલેSITના અધ્યક્ષ ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે21 લોકોના મોતની દુ:ખદ ઘટના મામલેSIT દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ કેસ માટે સ્પેશિયલ ટીમની રચના કરી છે. મારી સાથેની આખી ટીમ આજે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક વિગતો મેળવી છે. આમ આજથી સીટની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, SIT ટીમ આગામી દિવસોમાં સ્થાનિક લોકો અને સાક્ષીઓની પૂછપરછ કરશે. આ ઉપરાંત ગેરકાયદે ફટાકડા ફેક્ટરીના સંચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Read the Next Article

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસ્યું, આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

New Update
chikhali

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

હવે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તાજા અપડેટ પ્રમાણે, 3 જુલાઇ 2025 થી 8 જુલાઇ 2025 સુધીનો સમયગાળો ખુબ જ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે. 

અત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી એટલે કે 3 જુલાઈથી 8 જુલાઈ સુધીની વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં આ સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે રેડ એલર્ટ અપાયું નથી. આજે રાજ્યના 13 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ ઉપરાંત અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતનો સમાવેશ થાય છે. જ્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આવતીકાલે એટલે કે 4થી જુલાઇએ દીવ, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી છે. ઉપરાંત ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ માટે યલો એલર્ટ અપાયું છે. બાકીનાં તમામ જિલ્લાઓમાં વરસાદ નહીવત્ત રહેશે.

5 જુલાઇ 2025 ના દિવસે અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ તો અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બાકીનાં જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત્ત રહેશે