“ડીસા” અગ્નિકાંડની તપાસ : SITના અધ્યક્ષે અધિકારીઓ સાથે બેઠક યોજી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું...

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ફાટી નીકળતા 21 લોકોના મોત થયા છે, 

New Update
  • ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં આગની ઘટનાનો મામલો

  • 21 લોકોના મોતજ્યારે અન્ય ઇજાગ્રસ્તો સારવાર હેઠળ

  • કેસની તપાસ અર્થે કરવામાં આવી છેSITની રચના

  • SITના અધ્યક્ષ સહિતનો કાફલો ડીસા ખાતે પહોચ્યો

  • અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર માહિતી મેળવી

બનાસકાંઠા જિલ્લાઆગ ના ડીસામાં ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ ફાટી નીકળતા 21 લોકોના મોત થયા છેત્યારે આ કેસની તપાસ અર્થે SIT અધ્યક્ષ ભાવિન પંડ્યા સહિતનો કાફલો ડીસા ખાતે દોડી આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) આજે ડીસા પહોંચી હતી. આ બ્લાસ્ટમાં 21 લોકોના મોત થયા હતા. તપાસ ટીમે ડીસા સર્કિટ હાઉસમાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના અધિકારીઓ સાથે પ્રાથમિક બેઠક યોજી હતી. આ બેઠકમાં નાયબ પોલીસ મહાનિરીક્ષક વિશાલ વાઘેલાફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડિરેક્ટર એચ.પી.સંઘવીમાર્ગ અને મકાન વિભાગના ચીફ એન્જિનિયર જે.એ.ગાંધી સહિત ટેક્નિકલ એક્સપર્ટ તેમજ ફોરેન્સિક એક્સપર્ટની ટીમે ઉપસ્થિત રહી બ્લાસ્ટ કેસની વિગતવાર માહિતી મેળવી હતી.

સૌપ્રથમ એક્સપ્લોઝિવએક્ટ અને નિયમ અનુસાર ગોડાઉનમાં કામ થતું હતું કેનહીં. તેમજ કયા કારણોસર બ્લાસ્ટ થયો તે અંગેSIT દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. ડીસા બ્લાસ્ટ મામલેSITના અધ્યક્ષ ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે21 લોકોના મોતની દુ:ખદ ઘટના મામલેSIT દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ કેસ માટે સ્પેશિયલ ટીમની રચના કરી છે. મારી સાથેની આખી ટીમ આજે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક વિગતો મેળવી છે. આમ આજથી સીટની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, SIT ટીમ આગામી દિવસોમાં સ્થાનિક લોકો અને સાક્ષીઓની પૂછપરછ કરશે. આ ઉપરાંત ગેરકાયદે ફટાકડા ફેક્ટરીના સંચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Read the Next Article

ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

New Update
  • અફઘાન પ્રોડક્ટ લખેલું બિનવારસી મળ્યું પેકેટ

  • 1150 ગ્રામ ચરસ મળી આવતા ચકચાર

  • જિલ્લાનો 110 કિમીનો કોસ્ટલ બેલ્ટ એલર્ટ 

  • પોલીસે 57.50 લાખનું ચરસ કર્યું  જપ્ત

  • SOG,LCB,મરીન પોલીસ તપાસમાં જોડાય

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે. આ ઘટનાની જાણ થતાંSOG, LCB અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.અને તપાસ શરૂ કરી હતી.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાનાGHCL કંપની નજીકના દરિયા કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવ્યું હતું.ઘટનાને પગલે ગીર સોમનાથSOG,LCB અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.અને પોલીસે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ પણ ગીર સોમનાથના વેરાવળધામળેજ અને વડોદરા ઝાલા સહિતના દરિયાકિનારા વિસ્તારમાંથી ચરસના પેકેટો મળી આવ્યા હતા. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકિનારો નશીલા પદાર્થોની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતો હોવાની આશંકા છે.

પ્રાથમિક તપાસમાં એવું અનુમાન છે કે આ પેકેટ સમુદ્રમાંથી તણાઈને કિનારે આવ્યું હોઈ શકે છે. ગિર સોમનાથ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સઘન તપાસ કરી રહ્યા છે.