ગાંધીનગર : દહેગામ-વાસણા સોગઠી ગામે એકસાથે 8 હતભાગીઓની અંતિમયાત્રા નીકળતા ગ્રામજનોનું હૈયાફાટ રુદન…

ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે ગતરોજ ગણેશ વિસર્જન દરમ્યાન મેશ્વો નદીમાં ડૂબી જતાં એક જ ફળિયામાં રહેતાં 8 લોકોના મોત થયા હતા

New Update

ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે ગતરોજ ગણેશ વિસર્જન દરમ્યાન મેશ્વો નદીમાં ડૂબી જતાં એક જ ફળિયામાં રહેતાં 8 લોકોના મોત થયા હતાત્યારે આજે એકસાથે આઠેય હતભાગીઓની અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં આક્રંદ છવાયો હતો.

ગુજરાત રાજ્યમાં ગણેશ વિસર્જનમાં છેલ્લા 6 દિવસમાં ડૂબી જતાં કુલ 15 લોકોના મોત નીપજ્યા છે. ગાંધીનગરના દહેગામના વાસણા સોગઠી ગામે મેશ્વો નદીમાં ગત શુક્રવારે બપોરના સમયે મોટા ફળિયા વિસ્તારમાં રહેતા લોકો મેશ્વો નદીમાં ગણેશ વિસર્જન કરવા ગયા હતાજ્યાં ન્હાવા પડેલા 9 લોકો પૈકી 8 લોકો ડૂબી જતાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયા ઘટનાસ્થળે દોડી આવ્યા હતાઅને શોધખોળ હાથ ધરી હતી. બનાવના પગલે પ્રાંત અધિકારી, TDO, મામલતદારડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. શરૂઆતમાં 5 યુવકના મૃતદેહ મળ્યા. બાદમાં અન્ય 3 યુવકના પણ મૃતદેહ મળી આવ્યા હતા. તમામ મૃતદેહને દહેગામ અને રખીયાલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાજ્યાં પોસ્ટમોર્ટમ કરી મૃતદેહને તેઓના પરિજનોને સોંપવામાં આવી હતી. વાસણા સોગઠીના મોટાવાસમાં રહેતાં ચૌહાણ અને સોલંકી પરિવારના 8 લોકોના મોત થતાં આજે વાસણા સોગઠીના મોટા વાસ ખાતેથી એકસાથે આઠેય હતભાગીઓની અંતિમયાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં આક્રંદ છવાયો હતો. નાના એવા ગામમાં કોણ કોને સાંત્વના આપે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

Read the Next Article

સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં ભારે વરસાદ વચ્ચે ખેતી નિષ્ફળ જવાની સંભાવના, 15 પશુઓના પણ મોત...

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડીયા તેમજ રોધરા ગામે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે.

New Update
  • ખેડબ્રહ્મા પંથકમાં વરસ્યો હતો અનરાધાર વરસાદ

  • લક્ષ્મીપુરાગલોડીયા રોધરા ગામે તારાજી સર્જાય

  • 700 એકર જમીન ખેતી નિષ્ફળ જવાની સંભાવના

  • વરસાદ વચ્ચે 15 જેટલા પશુઓના મોત થયા

  • નુકસાન અંગે તંત્ર પાસે લોકોની મદદની અપેક્ષા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડીયા તેમજ રોધરા ગામે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે. રોધરા ગામે 700 એકર જેટલી જમીન ઉપર ખેતી નિષ્ફળ જવાની સંભાવનાઓ છે. તો બીજી તરફ 15 જેટલા પશુઓના મોત થયા છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના રોદરા ગામે વરસેલા 15 ઇંચ જેટલા વરસાદના પગલે સ્થાનિક કક્ષાએ ભારે તારાજી સર્જાય છે. ભારે વરસાદના પગલે સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ 700 એકર જેટલી જમીન ઉપર મગફળીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. અહી 100 ટકા ડ્રીપ ધરાવનારા ગામની સમગ્ર ટપક સિંચાઈ પણ ધસમસતા પાણીના પ્રવાહમાં ખેંચાઈ ચૂકી છેજેના પગલે ખેડૂતોને પાક સહિત ડ્રીપ તણાઈ જવાથી વ્યાપક નુકસાન સર્જાયું છે. જોકેઅડધી રાત્રે આવેલા પૂરના પગલે 10થી 15 જેટલા પશુઓના પણ મોત થયા છે. ગામમાં થયેલા પારાવાર નુકસાન મામલે સ્થાનિકો તંત્ર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે.