Connect Gujarat
ગુજરાત

દેવભુમિ દ્વારકા : ભાજપના નેતાઓની ભક્તિ પણ બની "ભગવી", જગત મંદિરમાં જોવા મળ્યો કેસરીયો માહોલ

આહીર સમાજના અગ્રણી અને ભાજપના પ્રદેશ મંત્રી સહિત પરિવાર દ્વારા દ્વારકા જગત મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું,

X

આહીર સમાજના અગ્રણી અને ભાજપના પ્રદેશ મંત્રી રઘુ હુંબલ સહિત પરિવાર દ્વારા યાત્રાધામ દ્વારકા જગત મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, ત્યારે ભાજપ નેતાના દ્વારકા ખાતે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમની સાથે સાથે શક્તિ પ્રદર્શન પણ યોજાયું હતું. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ, સંસદ સભ્યો અને ધારાસભ્યો સહિત પ્રદેશના અનેક નેતાઓ યાત્રાધામ દ્વારકા ખાતે હાજર રહ્યા હતા.

દેવભુમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર ખાતે ભાજપના પ્રદેશમંત્રી રઘુ હુંબલ અને પરિવારના સભ્યો દ્વારા ધજા ચઢાવવામાં આવી હતી. પ્રદેશ મંત્રી દ્વારા દ્વારકાધીશના શિખર પર ચઢાવવામાં આવેલી ધજાનો રંગ પણ ખાસ કેસરિયો જ પસંદ કરવામાં આવ્યો. પ્રદેશ મંત્રી રઘુ હુંબલનો પક્ષ પ્રત્યેનો પ્રેમ અને તેઓ આહીર સમાજના હોય જેથી કૃષ્ણ ભક્તિ પ્રત્યેનો પ્રેમ પણ જોવા મળ્યો હતો. આ સાથે જ મેગા બ્લડ ડોનેશન કેમ્પ, ભવ્ય શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, સાંસદ ભારતી શિયાળ, પ્રદેશ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ, સાંસદ પૂનમ માડમ, સાંસદ રમેશ ધડુક, સાંસદ વિનોદ ચાવડા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા, દેવ માલમ, આર.સી.મકવાણા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, વાસણ આહીર અને જવાહર ચાવડા સહિત પ્રદેશ સંગઠનના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી. ધ્વજારોહણ બાદ યોજાયેલી શોભાયાત્રામાં સજાવેલી 21 જેટલી ખુલ્લી જીપમાં નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. શોભાયાત્રા દરમ્યાન શહેરની 37 જેટલી સંસ્થાઓ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આહીર સમાજ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પમાં એકત્ર થયેલા રક્તથી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની રક્તતુલા તેમજ દ્વારકા જિલ્લામાં પ્રધાનમંત્રી વીમા યોજનાના ભરાયેલા ફોર્મથી પણ તુલા કરવામાં આવી હતી.

Next Story