“નથી જવું..., અમારે વાવ-થરાદમાં નથી જવું..!” : બનાસકાંઠના ધાનેરાવાસીઓએ કલેક્ટર કચેરી ગજવી મુકી...

થરાદ-વાવમાં ન જવા અને બનાસમાં રહેવા 5 હજાર જેટલી વાંધા અરજીઓ કલેક્ટરને સુપ્રત કરવામાં આવી હતી. “નથી જવું... નથી જવું..., અમારે થરાદમાં નથી જવું..!”ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા

New Update
  • સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો નિર્ણય

  • ધાનેરાને વાવ-થરાદમાં સમાવેશની જાહેરાતનો વિરોધ

  • 21 દિવસથી ધાનેરાવાસીઓનું વિરોધ પ્રદર્શન યથાવત

  • 5 હજાર જેટલી વાંધા અરજીઓ સાથે કલેક્ટરને રજૂઆત

  • ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ધાનેરાવાસીઓએ કચેરી ગજવી મુકી

 બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં 5 હજાર જેટલી વાંધા અરજીઓ લઈને ધાનેરાવાસીઓ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોચ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરા તાલુકાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવાની જાહેરાત થતાં ધાનેરામાં છેલ્લા 21 દિવસથી સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

જેમાં આંદોલનઆવેદનપત્રધરણાંજન આક્રોશ સભાઈમેલ દ્વારા પત્ર વિગેરે કાર્યક્રમો યથાવત રાખવામાં આવ્યા છે. જેના ઉગ્ર આક્રોશ વચ્ચે હવે 5 હજાર જેટલી વાંધા અરજીઓ લઈ ધાનેરાના સ્થાનિકો કલેક્ટર કચેરીએ પહોચ્યા હતા. જેમાં થરાદ-વાવમાં ન જવા અને બનાસમાં રહેવા 5 હજાર જેટલી વાંધા અરજીઓ કલેક્ટરને સુપ્રત કરવામાં આવી હતી. 

નથી જવું... નથી જવું...અમારે થરાદમાં નથી જવું..!ના સૂત્રોચ્ચાર સાથે ધાનેરાવાસીઓએ કલેક્ટર કચેરી ગજવી મુકી હતી. સ્થાનિકોએ જણાવ્યુ હતું કે, અમારે તો બનાસમાં જ રહેવું છે. થરાદ અમારા માટે અનુકુળ નથી.

Read the Next Article

અમદાવાદમાં કોરોના કેસ વધ્યા, કોરોનાના નવા 127 કેસ નોંધાયા

અમદાવાદમાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે. અમદાવાદમાં છેલ્લા  24 કલાકમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા છે. એપ્રિલ 2023 પછી એક જ દિવસમાં 100થી વધુ કેસ નોંધાયા છે.

New Update
રાજ્યમાં આજે કોરોનાના 1120 નવા કેસ નોધાયા, 1389 દર્દીઑ થયા સાજા

અમદાવાદમાં સતત કોરોના કેસ વધી રહ્યાં છે. અમદાવાદમાં છેલ્લા  24 કલાકમાં કોરોનાના નવા 127 કેસ નોંધાયા છે. એપ્રિલ 2023 પછી એક જ દિવસમાં 100થી વધુ કેસ નોંધાયા છે.

જે બાબત ચિંતાજનક છે. અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા 686 પર  પહોંચી છે.  અમદાવાદ સોલા સિવિલમાં કુલ પાંચ દર્દી દાખલ છે. અમદાવાદ અસારવા સિવિલમાં 3 દર્દી સારવાર હેઠળ છે. 

ગુજરાતમાં પણ કોરોના વાયરસના નવા કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસના 183 નવા કેસ નોંધાતાથી સાથે જ  કુલ એક્ટિવ કેસનો આંકડો 822 પર પહોંચી ગયો છે. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 183 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 822 પર પહોંચી ગઈ છે. જેમાંથી 29 હૉસ્પિટલમાં દાખલ છે, જ્યારે 793 દર્દી હોમ આઇસોલેશનમાં છે.  78 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી એકપણ મોત થયું નથી.