“નથી જવું..., અમારે વાવ-થરાદમાં નથી જવું..!” : બનાસકાંઠના ધાનેરાવાસીઓએ કલેક્ટર કચેરી ગજવી મુકી...

થરાદ-વાવમાં ન જવા અને બનાસમાં રહેવા 5 હજાર જેટલી વાંધા અરજીઓ કલેક્ટરને સુપ્રત કરવામાં આવી હતી. “નથી જવું... નથી જવું..., અમારે થરાદમાં નથી જવું..!”ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા

New Update
  • સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો નિર્ણય

  • ધાનેરાને વાવ-થરાદમાં સમાવેશની જાહેરાતનો વિરોધ

  • 21 દિવસથી ધાનેરાવાસીઓનું વિરોધ પ્રદર્શન યથાવત

  • 5 હજાર જેટલી વાંધા અરજીઓ સાથે કલેક્ટરને રજૂઆત

  • ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ધાનેરાવાસીઓએ કચેરી ગજવી મુકી

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં 5 હજાર જેટલી વાંધા અરજીઓ લઈને ધાનેરાવાસીઓ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોચ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરા તાલુકાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવાની જાહેરાત થતાં ધાનેરામાં છેલ્લા 21 દિવસથી સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

જેમાં આંદોલનઆવેદનપત્રધરણાંજન આક્રોશ સભાઈમેલ દ્વારા પત્ર વિગેરે કાર્યક્રમો યથાવત રાખવામાં આવ્યા છે. જેના ઉગ્ર આક્રોશ વચ્ચે હવે 5 હજાર જેટલી વાંધા અરજીઓ લઈ ધાનેરાના સ્થાનિકો કલેક્ટર કચેરીએ પહોચ્યા હતા. જેમાં થરાદ-વાવમાં ન જવા અને બનાસમાં રહેવા 5 હજાર જેટલી વાંધા અરજીઓ કલેક્ટરને સુપ્રત કરવામાં આવી હતી.

નથી જવું... નથી જવું...અમારે થરાદમાં નથી જવું..!ના સૂત્રોચ્ચાર સાથે ધાનેરાવાસીઓએ કલેક્ટર કચેરી ગજવી મુકી હતી.સ્થાનિકોએ જણાવ્યુ હતું કે,અમારે તો બનાસમાં જ રહેવું છે. થરાદ અમારા માટે અનુકુળ નથી.

Read the Next Article

છોટાઉદેપુરના મહત્વના વેપાર મથક બોડેલીને મળ્યો નગરપાલિકાનો દરજ્જો

છોટા ઉદેપુરના બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળતાં લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે. 21 ઓગસ્ટથી છોટાઉદેપુરના મહત્વના વેપાર મથક બોડેલીને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો

New Update
Bodeli Nagarpalika

છોટાઉદેપુરના બોડેલીના રહેવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે બોડેલીમાં નગરપાલિકા કાર્યાન્વીત કરવાની મંજૂરી આપી છે અને 21 ઓગષ્ટથી બોડેલી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ગઇ છે. છોટા ઉદેપુરના બોડેલીને નગરપાલિકાનો દરજ્જો મળતાં લોકોમાં ખુશીની લહેર ફરી વળી છે. 21 ઓગસ્ટથી છોટાઉદેપુરના મહત્વના વેપાર મથક બોડેલીને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તથા સંખેડા અને નસવાડી અને છોટાઉદેપુર મહત્વના નગરો છે. છોટાઉદેપુર આદિવાસી વિસ્તાર છે અને જિલ્લાના લોકોને છેક વડોદરા સુધી ના આવવું પડે તે માટે છોટાઉદેપુર જિલ્લાની રચના કરાઇ હતી. હવે જિલ્લાના મહત્વના નગરને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે જેથી બોડેલીના નગરજનોને માળખાકીય સુવિધાઓ સહિત અન્ય રાજ્ય સરકારના લાભમાં વધારો થશે તથા ગ્રાન્ટો પણ મળશે.