“નથી જવું..., અમારે વાવ-થરાદમાં નથી જવું..!” : બનાસકાંઠના ધાનેરાવાસીઓએ કલેક્ટર કચેરી ગજવી મુકી...

થરાદ-વાવમાં ન જવા અને બનાસમાં રહેવા 5 હજાર જેટલી વાંધા અરજીઓ કલેક્ટરને સુપ્રત કરવામાં આવી હતી. “નથી જવું... નથી જવું..., અમારે થરાદમાં નથી જવું..!”ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા

New Update
  • સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો નિર્ણય

  • ધાનેરાને વાવ-થરાદમાં સમાવેશની જાહેરાતનો વિરોધ

  • 21 દિવસથી ધાનેરાવાસીઓનું વિરોધ પ્રદર્શન યથાવત

  • 5 હજાર જેટલી વાંધા અરજીઓ સાથે કલેક્ટરને રજૂઆત

  • ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ધાનેરાવાસીઓએ કચેરી ગજવી મુકી

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં 5 હજાર જેટલી વાંધા અરજીઓ લઈને ધાનેરાવાસીઓ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોચ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરા તાલુકાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવાની જાહેરાત થતાં ધાનેરામાં છેલ્લા 21 દિવસથી સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

જેમાં આંદોલનઆવેદનપત્રધરણાંજન આક્રોશ સભાઈમેલ દ્વારા પત્ર વિગેરે કાર્યક્રમો યથાવત રાખવામાં આવ્યા છે. જેના ઉગ્ર આક્રોશ વચ્ચે હવે 5 હજાર જેટલી વાંધા અરજીઓ લઈ ધાનેરાના સ્થાનિકો કલેક્ટર કચેરીએ પહોચ્યા હતા. જેમાં થરાદ-વાવમાં ન જવા અને બનાસમાં રહેવા 5 હજાર જેટલી વાંધા અરજીઓ કલેક્ટરને સુપ્રત કરવામાં આવી હતી.

નથી જવું... નથી જવું...અમારે થરાદમાં નથી જવું..!ના સૂત્રોચ્ચાર સાથે ધાનેરાવાસીઓએ કલેક્ટર કચેરી ગજવી મુકી હતી.સ્થાનિકોએ જણાવ્યુ હતું કે,અમારે તો બનાસમાં જ રહેવું છે. થરાદ અમારા માટે અનુકુળ નથી.

Read the Next Article

સુરત : સલામત સવારીનું વચન આપતી એસટી બસના ચાલકે સર્જ્યો અકસ્માત,ચારથી વધુ બાઇકને લીધી અડફેટમાં,ચાર લોકો ઈજાગ્રસ્ત

સુરતમાં બસ ચાલકે બસને ગફલતભરી રીતે હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ રહ્યો નહોતો,અને બસ ચાલકે ચારથી વધુ બાઇકને અડફેટમાં લઈને અકસ્માત સર્જ્યો..

New Update

સહારા દરવાજા બ્રિજ નીચે એસટી બસે સર્જ્યો અકસ્માત

અકસ્માતમાં ચાર જેટલા લોકોને પહોંચી ઇજા

ચારથી વધુ બાઈકનો વળ્યો કચ્ચરઘાણ

બસ ચાલક ભાગવા જતા લોકોએ ઝડપી પાડ્યો

બસ ચાલકે બ્રેક ફેલ થઈ ગઈ હોવાનું કર્યું રટણ

સુરતમાં સહારા દરવાજા બ્રિજ નીચે એસટી બસના ચાલકે બસને ગફલત ભરી રીતે હંકારીને અકસ્માત સર્જ્યો હતો.અને ચારથી વધુ બાઇકને અડફેટમાં લેતા ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ઘટનાને પગલે ટ્રાફિકજામની સાથે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

સુરત શહેરના સહારા દરવાજા બ્રિજ નીચેના માર્ગ પરથી એક એસટી બસ પસાર થઇ રહી હતી,જોકે બસ ચાલકે બસને ગફલતભરી રીતે હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ રહ્યો નહોતો,અને બસ ચાલકે ચારથી વધુ બાઇકને અડફેટમાં લઈને અકસ્માત સર્જ્યો હતો,સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ચાર લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે અકસ્માત સર્જીને બસ ચાલક ભાગવા જતા સ્થાનિક લોકોએ તેને ઝડપી લઈને પોલીસને હવાલે કરી દીધો હતો,બસ ચાલકે બસની બ્રેક ફેલ થઈ ગઈ હોવાનું રટણ કર્યું હતું,જ્યારે ભોગ બનનાર ઇજાગ્રસ્તોએ બસની સ્પીડ વધુ હોવાનો આક્ષેપ કર્યો હતો.પોલીસ દ્વારા ઘટના અંગેની તપાસ શરૂ કરવામાં આવી હતી.

Latest Stories