“નથી જવું..., અમારે વાવ-થરાદમાં નથી જવું..!” : બનાસકાંઠના ધાનેરાવાસીઓએ કલેક્ટર કચેરી ગજવી મુકી...

થરાદ-વાવમાં ન જવા અને બનાસમાં રહેવા 5 હજાર જેટલી વાંધા અરજીઓ કલેક્ટરને સુપ્રત કરવામાં આવી હતી. “નથી જવું... નથી જવું..., અમારે થરાદમાં નથી જવું..!”ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા

New Update
  • સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો નિર્ણય

  • ધાનેરાને વાવ-થરાદમાં સમાવેશની જાહેરાતનો વિરોધ

  • 21 દિવસથી ધાનેરાવાસીઓનું વિરોધ પ્રદર્શન યથાવત

  • 5 હજાર જેટલી વાંધા અરજીઓ સાથે કલેક્ટરને રજૂઆત

  • ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ધાનેરાવાસીઓએ કચેરી ગજવી મુકી

Advertisment

 બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં 5 હજાર જેટલી વાંધા અરજીઓ લઈને ધાનેરાવાસીઓ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોચ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ ધાનેરા તાલુકાને વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવાની જાહેરાત થતાં ધાનેરામાં છેલ્લા 21 દિવસથી સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

જેમાં આંદોલનઆવેદનપત્રધરણાંજન આક્રોશ સભાઈમેલ દ્વારા પત્ર વિગેરે કાર્યક્રમો યથાવત રાખવામાં આવ્યા છે. જેના ઉગ્ર આક્રોશ વચ્ચે હવે 5 હજાર જેટલી વાંધા અરજીઓ લઈ ધાનેરાના સ્થાનિકો કલેક્ટર કચેરીએ પહોચ્યા હતા. જેમાં થરાદ-વાવમાં ન જવા અને બનાસમાં રહેવા 5 હજાર જેટલી વાંધા અરજીઓ કલેક્ટરને સુપ્રત કરવામાં આવી હતી. 

નથી જવું... નથી જવું...અમારે થરાદમાં નથી જવું..!ના સૂત્રોચ્ચાર સાથે ધાનેરાવાસીઓએ કલેક્ટર કચેરી ગજવી મુકી હતી. સ્થાનિકોએ જણાવ્યુ હતું કે, અમારે તો બનાસમાં જ રહેવું છે. થરાદ અમારા માટે અનુકુળ નથી.

Advertisment
Read the Next Article

ગુજરાતમાં 3300 કરોડના વિકાસકાર્યોનું PM મોદી કરશે ખાતમુહૂર્ત,કચ્છથી લઇ દાહોદ સુધી તડામાર તૈયારીઓ શરૂ

ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.પીએમ મોદી આગામી 26, 27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા શહેરોનો પ્રવાસ કરશે.

New Update
aa

ઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.પીએમ મોદી આગામી 26, 27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા શહેરોનો પ્રવાસ કરશે.

Advertisment

આ દરમિયાન મોદી 3300 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. આ સાથે આગામી 27 મેના રોજ પ્રધાનમંત્રી ગાંધીનગરમાં મહાત્મા મંદિર જશે. અને શહેરી વિકાસ વિભાગના કાર્યક્રમામાં સામેલ થઈને 22 હજાર મકાનોની ફાળવણી કરશે. આ સાથે અમદાવાદ-ગાંધીનગર રિવરફ્રંટ ફેઝ-3નું ખાતમુહૂર્ત કરશે.

આ ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રીનો પહેલો ગુજરાત પ્રવાસ છે.તા. 26,27 મેના રોજ ગુજરાતના જુદા-જુદા શહેરોનો પ્રવાસ કરશે.જેમાં ખાસ કરીને અમદાવાદદાહોદભૂજમાં કાર્યક્રમોમાં હાજરી આપશે.26મેના રોજ PM મોદી વડોદરાના મહેમાન બનશે અને અહીં રોડ-શો દ્વારા લોકોનું અભિવાદન ઝીલશે. ત્યાર બાદમાં PM મોદી દાહોદની મુલાકાત લેશે. અહીં દાહોદમાં રેલવે વર્કશોપનું લોકાર્પણ કરશે. આ સાથે દાહોદમાં PM મોદી જનસભાને સંબોધન કરવાના છે.

આ તરફ વડોદરા અને દાહોદ બાદ PM મોદી કચ્છની મુલાકાતે જશે. અહીં ભૂજમાં PM મોદી જાહેરસભાને સંબોધિત કરશે. આ તરફ કચ્છથી અમદાવાદ આવી PM મોદી રોડ-શોમાં સામેલ થશે. આ સાથે 27 મેના રોજ પ્રધાનમંત્રી ગાંધીનગરમાં મહાત્મા મંદિર જશે. અહીં શહેરી વિકાસ વિભાગના કાર્યક્રમમાં સામેલ થઈને 22 હજાર મકાનોની ફાળવણી કરશે. આ સાથે 3300 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. આ સાથે PM મોદી અમદાવાદ-ગાંધીનગર રિવરફ્રંટ ફેઝ-3નું ખાતમુહૂર્ત કરશે.

Advertisment