દ્વારકા : NPK ખાતરના ભાવ વધારાથી ખેડૂતોનું આર્થિક ભારણ વધ્યું,જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાવ વધારા પર આપી તીખી પ્રતિક્રિયા

ઇફ્ફ્કો દ્વારા NPK ખાતરની 50 કિલોની થેલી પર રૂપિયા 130નો ભાવ વધારો ઝીંકવામાં આવતા દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ કિસાન  કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

New Update
  • ઇફ્કોએ આપ્યો ખેડૂતોને આંચકો

  • NPK ખાતરમાં કર્યો ભાવ વધારો

  • 50 કિલોએ રૂ.130નો વધારો ઝીંકાયો

  • ખેડૂતોનું આર્થિક ભારણ વધ્યું

  • કિસાન કોંગ્રેસના ચેરમેને આપી પ્રતિક્રિયા   

ગુજરાતના ખેડૂતોને ઇફ્કોએ મોટો આંચકો આપ્યો છે. કંપનીએ NPK ખાતરના ભાવમાં પ્રતિ 50 કિલોએ રૂપિયા 130નો વધારો ઝીંક્યો છે. અગાઉ રૂપિયા 1720માં મળતી ખાતરની આ થેલી હવે ખેડૂતોને રૂપિયા 1850માં ખરીદવી પડશે.આ અંગે દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને કિસાન આગેવાન પાલ આંબલીયાએ ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી.

ઇફ્ફ્કો દ્વારા NPK ખાતરની 50 કિલોની થેલી પર રૂપિયા 130નો ભાવ વધારો ઝીંકવામાં આવતા દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ કિસાન  કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અગાઉ રૂપિયા 1720માં મળતી NPK ખાતરની થેલીનો ભાવ હવે રૂપિયા 1850 કરવામાં આવ્યો છેજે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે.

પાલ આંબલીયાએ જણાવ્યું હતું કેખેડૂતો માટે આવશ્યક વસ્તુઓ જેવી કેદવાખાતરબિયારણડીઝલ અને મજૂરીમાં સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છેજ્યારે ખેત પેદાશોના ભાવ દર વર્ષે વધવાને બદલે ઘટી રહ્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જો આંતરરાષ્ટ્રીય બજારની અસર હોયતો ખેત જણસના ભાવ પણ વધવા જોઈએ.

આ ઉપરાંત પાલ આંબલીયાએ સરકારની નીતિઓ પર પ્રશ્નાર્થ કરતા કહ્યું કેસરકાર 2 લાખ કરોડ રૂપિયાની સબસિડી આપે છેતેમ છતાં છેલ્લા 10 વર્ષમાં ખાતરના ભાવમાં 350 ટકાનો  વધારો થયો છેજે સમજની બહાર છે. આ ભાવ વધારાથી ખેડૂતો પર આર્થિક બોજ વધશે અને તેમની ખેતી ખર્ચાળ બનશે તેવી ભીતિ સેવાઈ રહી છે.

Latest Stories