કચ્છમાં નવા વર્ષના પ્રારંભે જ ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ

કચ્છના અનેક વિસ્તારમાં નવા વર્ષના પ્રારંભે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપ આવતા રાપર, ભચાઉ,  ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી હતી.જેમાં કચ્છના ભચાઉથી 23 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે.

New Update
eart

કચ્છના અનેક વિસ્તારમાં નવા વર્ષના પ્રારંભે ભૂકંપના આંચકા અનુભવાયા છે.

ભૂકંપ આવતા રાપરભચાઉ,  ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રૂજી હતી.જેમાં કચ્છના ભચાઉથી23કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા3.2નોંધાઈ છે.

ગુજરાતમાં2024માં ભૂકંપના કુલ13આંચકા નોંધાયા છે.13માંથી7આંચકામાં કચ્છમાં એપિસેન્ટર હતું.વર્ષ2024માં6આંચકામાં તીવ્રતા ચારથી વધારે નોંધાઇ હતી.જેમાં15નવેમ્બરના4.2ની તીવ્રતાનો આંચકો આવ્યો ત્યારે પાટણથી13કિલોમીટર દૂર એપિસેન્ટર હતું. નવા વર્ષના પ્રારંભે જ કચ્છમાં આવેલા ભૂકંપના પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories