સોમનાથ: શ્રાવણ માસનો અંતિમ દિવસ અને સોમવતી અમાસનો સંયોગ,પૂર્વ CM વિજય રૂપાણીએ મહાદેવના કર્યા દર્શન

સોમનાથ જિલ્લાના અને 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસનો અંતિમ દિવસ અને સોમવતી અમાસના સંયોગ પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.

New Update

ગીર સોમનાથ જિલ્લાના અને 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસનો અંતિમ દિવસ અને સોમવતી અમાસના સંયોગ પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આ પ્રસંગે પૂર્વ CM વિજય રૂપાણીએ પણ સહપરિવાર સાથે સોમનાથ મહાદેવજી ના દર્શન કર્યા હતા.

ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરે શ્રાવણના અંતિમ દિવસ અને સોમવતી અમાસ નિમિત્તે શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી,વહેલી સવારની આરતી થી લઈને સોમનાથ મહાદેવના દર્શન અર્થે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પવિત્ર સ્થાન પર હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો સંગમ થાય છે.તેથી ત્રિવેણી સંગમ પર પિતૃતર્પણનું પણ અનેરૂ મહાત્મ્ય છે,ત્યારે શુભ અવસર પર શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં સ્નાન કરીને પિતૃતર્પણ પણ કર્યું હતું.અને ત્યાર બાદ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.કહેવાય છે કે ભગવાન કૃષ્ણએ 56 કોટી યાદવોના મોક્ષાર્થે અહીં તર્પણ વિધિ કરી હતી.
જ્યારે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન કરીને પ્રાર્થના કરી હતી.અને સોમનાથ મહાદેવની ધ્વજા પૂજા, જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી.
Read the Next Article

હવામાન વિભાગની આગાહી, છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે,

New Update
guj

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે, વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબઆજથી છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આજે નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકવાનું અનુમાન.. તો સંઘપ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયું છે.  જે આગળ વધીને મધ્ય પ્રદેશ તરફ જશે, જેની અસર ગુજરાત પર થતાં વરસાદ પડશે. 9 જુલાઇ બાદથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ વરસતો રહેશે. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત,ઉત્તર ગુજરાતના વિસ્તારમાં 9 જુલાઇ બાદ વરસાગદનું જોર વધશે અને આ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસતો રહેશે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં  ખેડા, પંચમહાલ, આણંદમાં વરસાદની શક્યતા છે. વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદામાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 12 જુલાઇ બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ બંધ થઇ જશે. આ વિસ્તારમાં 12 જુલાઇ બાદ વરાપ નીકળશે. છોટા ઉદેપુર, અમદાવાદ, મહિસાગર, અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં પણ મધ્યમ કરતા વધુ વરસાદ વરસી શકે છે.