સાબરકાંઠા : અકસ્માતમાં પલટી મારી ગયેલી કારમાંથી રૂ. 1.50 કરોડ ભરેલા 2 થેલાની લૂંટ

રાજ્યમાં વધુ એક મોટી લૂંટની ઘટના સામે આવી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં રૂ. 1.50 કરોડની લૂંટ થયાની પોલીસ ફરિયાદ નોંધાય છે.

New Update
a

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં રૂ. 1.50 કરોડની લૂંટનો મામલો સામે આવ્યો છે. જેમાં અકસ્માત થયેલી કારમાંથી 2 થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં વધુ એક મોટી લૂંટની ઘટના સામે આવી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં રૂ. 1.50 કરોડની લૂંટ થયાની પોલીસ ફરિયાદ નોંધાય છે. જેમાં અકસ્માત થયેલી કારમાંથી 2 થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારૂઓ ફરાર થયાની જાણ ખુદ કાર ચાલકે કરી હતી. જે બાદ LCB અને SOG પોલીસની ટીમો દોડતી થઇ હતી. મળતી માહિતી અનુસાર, પ્રાંતિજ નજીક આવેલા દલાની મુવાડી વિસ્તારમાં કારનો અકસ્માત થયો હતો. જે કાર પલટી ગઇ હતીત્યારે કાર ચાલકે આ અકસ્માત બાદ પોલીસને જાણ કરી હતી કેકારમાંથી 2 થેલા ભરેલા રૂ. 1.50 કરોડની લૂંટ થઈ છે. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસની સાથે સાથે જિલ્લા પોલીસ પણ આ લૂંટને પગલે દોડતી થઇ હતીઅને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ માટે સ્થાનિક પોલીસ ઉપરાંત LCB, SOG સ્થળ પર પહોંચી લૂંટારૂઓનું પગેરું મેળવવા માટે જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories