ગાંધીનગર : કરણી સેનાના પ્રદેશ પ્રમુખ રાજ શેખાવતે ભાજપનો કેસરીયો ધારણ કર્યો, સોશિયલ મીડિયા ઉપર પુષ્ટિ કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક નેતા અને આગેવાનો અલગ-અલગ રાજકીય પક્ષોમાં જોડાઇ રહ્યા છે.

New Update
ગાંધીનગર : કરણી સેનાના પ્રદેશ પ્રમુખ રાજ શેખાવતે ભાજપનો કેસરીયો ધારણ કર્યો, સોશિયલ મીડિયા ઉપર પુષ્ટિ કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક નેતા અને આગેવાનો અલગ-અલગ રાજકીય પક્ષોમાં જોડાઇ રહ્યા છે. આ બધાની વચ્ચે હવે કરણી સેનાના પ્રદેશ પ્રમુખ રાજ શેખાવતે ભાજપનો ખેસ ધારણ કર્યો હોવાની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મુકી પુષ્ટિ કરી હતી.

કરણી સેનાના પ્રદેશ પ્રમુખ રાજ શેખાવત એક સમયે BSFમાં સેવા આપતા હતા. હવે તેઓ અમદાવાદમાં એક ખાનગી સુરક્ષા એજન્સી પણ ચલાવે છે. હાલમાં કરણી સેનાના ગુજરાત પ્રમુખ તરીકે સમગ્ર રાજ્યમાં જાણીતા છે. અગાઉ તેમની આગેવાની હેઠળની કરણી સેના ગુજરાતમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'નો વિરોધ કરવામાં આવ્યો હતો. રાજ શેખાવત એક એવી વ્યક્તિ છે કે, જેઓ હંમેશા પોતાની સાથે સોનાના દાગીના લઈને ચાલે છે. શેખાવત હંમેશા પોતાની સાથે પાંચ બૉડીગાર્ડ રાખે છે. તેમની 3 વર્ષ જૂની કંપનીને પણ સરકાર તરફથી ઘણા કોન્ટ્રાક્ટ મળ્યા છે. તેમાં તેઓ કેટલાક પ્રવાસન કાર્યક્રમો અને બિઝનેસ મીટિંગ જેવા કાર્યક્રમોમાં સુરક્ષા આપી છે. આ સાથે તેઓ અમદાવાદમાં એક હોટેલ તેમજ જીમની પણ માલિકી ધરાવે છે. જોકે, હવે ઘણી બધી અટકળો વચ્ચે કરણી સેનાના પ્રદેશ પ્રમુખ રાજ શેખાવત ભાજપમાં જોડાઇ જતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજ શેખાવતે ભાજપનો કેસરીયો ધારણ કર્યો હોવાની પોતાના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મુકી આ વાતની પુષ્ટિ કરી હતી.

Read the Next Article

ભરૂચ: ગ્રામપંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુની અધ્યક્ષતામાં કલેકટર કચેરીમાં બેઠક યોજાય

ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી

New Update
ચૂંટણી કામગીરી
ભરૂચ જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/ મધ્યમસત્ર પેટા ચૂંટણી કામે ચૂંટણીલક્ષી જુદી જુદી કામગીરી માટે નિમણૂંક થયેલા જિલ્લા કક્ષાના નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી નિરીક્ષક એન.એન.માધુના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ભરૂચ ખાતે મિંટીંગ યોજાઈ હતી.ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી હતી. ચૂંટણી સંદર્ભે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક પરિસ્થિતિનો પૂરતો તાગ મેળવીને કાર્ય આયોજન હાથ ધરવાની પણ જિલ્લા ચૂંટણી અધિકારીએ સૂચના આપી હતી.
આ બેઠક દરમિયાન અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર  એન.આર.ધાધલે બેઠકનું સંચાલન કરતાં અગત્યના મુદાઓ જેવા કે, કાયદો અને વ્યવસ્થા તથા પોલીસ બંદોબસ્ત, મેન પાવર, તાલીમ, વાહન વ્યવસ્થા, RO અને ARO ની નિયુક્તિ, મતપત્રકો અને પ્રતિકોની ફાળવણી, મતપત્રો છપામણી કામગીરી તેમજ છાપકામ બાદ રદ/ ખરાબ થયેલા મતપત્રો નાશ કરવા અંગેની કામગીરી, પોલીંગ સ્ટાફ, મતગણતરી સ્ટાફને તાલીમ,મતદાન મથકો પર પ્રાથમિક સુવિધા, સ્ટ્રોંગરૂમ તથા કાઉન્ટીંગ હોલ, ચૂંટણીખર્ચના હિસાબોની ચકાસણી, વાહન ફાળવણી, ચૂંટણીના સ્ટાફને ટપાલ મતપત્રો આપવા અને આદર્શ આચાર સંહિતાના જેવા મુદ્દે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.
Latest Stories